April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીનાસામરવરણી પંચાયત દ્વારા ગ્રામજનોની વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત અને તેમના સભ્‍યો દ્વારા પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે શનિવારે સામરવરણી પંચાયત વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા નિવારણ હેતુ પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. સામરવરણી ગામમાં એક ઓવરહેડ ટાંકી અને એક અંડરગ્રાઉન્‍ડ ટાંકી નિર્માણ પામશે. ઓવરહેડ ટાંકી 12 લાખ લીટર ક્ષમતાની બનશે જ્‍યારે અંડર ગ્રાઉન્‍ડ ટાંકી 25 લાખ લીટરની ક્ષમતાની નિર્માણ પામનાર હોવાની માહિતી સરપંચશ્રીએ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ટાંકી નિર્માણનું કામ પૂર્થ થયા બાદ સામરવરણી પંચાયત વિસ્‍તારના લોકોએ પીવાના પાણીની સમસ્‍યાથી છૂટકારો મળશે. ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત સહિતના પંચાયત સભ્‍યો અને ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment