Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીનાસામરવરણી પંચાયત દ્વારા ગ્રામજનોની વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત અને તેમના સભ્‍યો દ્વારા પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે શનિવારે સામરવરણી પંચાયત વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા નિવારણ હેતુ પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. સામરવરણી ગામમાં એક ઓવરહેડ ટાંકી અને એક અંડરગ્રાઉન્‍ડ ટાંકી નિર્માણ પામશે. ઓવરહેડ ટાંકી 12 લાખ લીટર ક્ષમતાની બનશે જ્‍યારે અંડર ગ્રાઉન્‍ડ ટાંકી 25 લાખ લીટરની ક્ષમતાની નિર્માણ પામનાર હોવાની માહિતી સરપંચશ્રીએ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ટાંકી નિર્માણનું કામ પૂર્થ થયા બાદ સામરવરણી પંચાયત વિસ્‍તારના લોકોએ પીવાના પાણીની સમસ્‍યાથી છૂટકારો મળશે. ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત સહિતના પંચાયત સભ્‍યો અને ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

Leave a Comment