Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીનાસામરવરણી પંચાયત દ્વારા ગ્રામજનોની વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત અને તેમના સભ્‍યો દ્વારા પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે શનિવારે સામરવરણી પંચાયત વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા નિવારણ હેતુ પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. સામરવરણી ગામમાં એક ઓવરહેડ ટાંકી અને એક અંડરગ્રાઉન્‍ડ ટાંકી નિર્માણ પામશે. ઓવરહેડ ટાંકી 12 લાખ લીટર ક્ષમતાની બનશે જ્‍યારે અંડર ગ્રાઉન્‍ડ ટાંકી 25 લાખ લીટરની ક્ષમતાની નિર્માણ પામનાર હોવાની માહિતી સરપંચશ્રીએ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ટાંકી નિર્માણનું કામ પૂર્થ થયા બાદ સામરવરણી પંચાયત વિસ્‍તારના લોકોએ પીવાના પાણીની સમસ્‍યાથી છૂટકારો મળશે. ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત સહિતના પંચાયત સભ્‍યો અને ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

મોટી દમણ નવા લાઈટ હાઉસ બીચ પર 14મી ઓગસ્‍ટની સાંજે ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’નું ઉજવાશે: જાહેર જનતાને ભાગ લેવા અનુરોધ

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

Leave a Comment