Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર થઈ રહી છે જે ચિંતાનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લાને મોટો દરિયા કિનારો મળેલો છે. આ દરિયામાંથી ક્‍યારે વ્‍હેલ કે શાર્ક કે અન્‍ય મૃત માછલીઓ અવાર નવાર તણાઈ આવતી હોવાના અનેકવાર બનાવ બનતા રહ્યા છે. આજે મંગળવારે વલસાડ તિથલ દરિયા કિનારે સવારે સવારે જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી.
પર્યાવરણની આડ અસર દરિયાઈ જીવો ઉપર પડે છે. મોટા મોટા ઉદ્યોગો પ્રદૂષિત પાણી દરિયામાં ખાનગી રાહે પધરાવતા હોવાની રાવ ફરિયાદ ઉઠતી આવી છે તેથી દરિયાનું પાણી પ્રદૂષિત થતું હોય છે. જેને લઈને દરિયાઈ જીવો ઉપર જોખમનું પરિબળ ઉભું થતું રહ્યું છે. તેનો વધુએક પુરાવો આજે તિથલ દરિયા કિનારે જોવા મળ્‍યો. જીલ નામની 40 થી 50 મૃત માછલીઓ કિનારે તણાઈ આવી હતી. જે પર્યાવરણ માટે અને દરિયાઈ જીવો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

ચીખલીનાં સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો વિફર્યા : કામ બંધ કરાવ્‍યું

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment