Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એક હવે સામાન્‍યઘટના બની ચૂકી છે. કારણ કે છાશવારે એવા ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે તેવો વધુ એક બનાવ વાપી નજીક બલીઠા ગામે ભંગારના કચરામાં ગુરૂવારે બપોર પછી ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી બલીઠામાં અનેક ભંગારની હાટડીઓ ગેરકાયદે ચાલી રહી છે. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ભંગારની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. સુરક્ષાનો કોઈપણ પ્રબંધ આવા ગોડાઉનોમાં જોવા મળતો નથી. બસ એ અન્‍વયે વધુ એક આગ બલીઠા સ્‍થિત ગોડાઉનમાં લાગી હતી. આગ-લાગી કે લગાડાઈ એ તપાસનો વિષય છે. બીજુ આગના ધુમાડાઓ એટલા વિકરાળ રીતે ફેલાયેલા હતા કે સ્‍થાનિક લોકોને શારીરિક નુકશાન કર્તા બની રહે. પરંતુ તપાસના નામે મીંડુ, બધુ ગાંધીછાપના ઓઠા હેઠળ ભીનું સંકેલાઈ જશે. આગળના બનાવોમાં પુરવાર થયેલો રવૈયો યથાવત સલવાવની આગમાં રહેલું.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

Leave a Comment