April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એક હવે સામાન્‍યઘટના બની ચૂકી છે. કારણ કે છાશવારે એવા ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે તેવો વધુ એક બનાવ વાપી નજીક બલીઠા ગામે ભંગારના કચરામાં ગુરૂવારે બપોર પછી ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી બલીઠામાં અનેક ભંગારની હાટડીઓ ગેરકાયદે ચાલી રહી છે. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ભંગારની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. સુરક્ષાનો કોઈપણ પ્રબંધ આવા ગોડાઉનોમાં જોવા મળતો નથી. બસ એ અન્‍વયે વધુ એક આગ બલીઠા સ્‍થિત ગોડાઉનમાં લાગી હતી. આગ-લાગી કે લગાડાઈ એ તપાસનો વિષય છે. બીજુ આગના ધુમાડાઓ એટલા વિકરાળ રીતે ફેલાયેલા હતા કે સ્‍થાનિક લોકોને શારીરિક નુકશાન કર્તા બની રહે. પરંતુ તપાસના નામે મીંડુ, બધુ ગાંધીછાપના ઓઠા હેઠળ ભીનું સંકેલાઈ જશે. આગળના બનાવોમાં પુરવાર થયેલો રવૈયો યથાવત સલવાવની આગમાં રહેલું.

Related posts

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment