January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી એક હવે સામાન્‍યઘટના બની ચૂકી છે. કારણ કે છાશવારે એવા ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે તેવો વધુ એક બનાવ વાપી નજીક બલીઠા ગામે ભંગારના કચરામાં ગુરૂવારે બપોર પછી ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી બલીઠામાં અનેક ભંગારની હાટડીઓ ગેરકાયદે ચાલી રહી છે. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ ભંગારની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. સુરક્ષાનો કોઈપણ પ્રબંધ આવા ગોડાઉનોમાં જોવા મળતો નથી. બસ એ અન્‍વયે વધુ એક આગ બલીઠા સ્‍થિત ગોડાઉનમાં લાગી હતી. આગ-લાગી કે લગાડાઈ એ તપાસનો વિષય છે. બીજુ આગના ધુમાડાઓ એટલા વિકરાળ રીતે ફેલાયેલા હતા કે સ્‍થાનિક લોકોને શારીરિક નુકશાન કર્તા બની રહે. પરંતુ તપાસના નામે મીંડુ, બધુ ગાંધીછાપના ઓઠા હેઠળ ભીનું સંકેલાઈ જશે. આગળના બનાવોમાં પુરવાર થયેલો રવૈયો યથાવત સલવાવની આગમાં રહેલું.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment