Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપીના સમાજ સેવક કિરણ રાવલ સમાજ સેવા કરવામાં કોઈ કસર કરતા નથી. દરેકે દરેક પ્રવૃત્તિની ઋતુ મુજબ પોતાના તરફથી બનતા સમાજ સેવાના કાર્યો કરતા જ રહે છે. આમ સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા 8 વર્ષથી નિરંતર મનુષ્‍ય જીવો માટે તેમજ મૂંગા પશુ પક્ષીઓ માટે સમાજ સેવાના કાર્યો કરતા જ રહે છે જે વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારમાં રહેલી જનતાએ ગત દિવસોમાં જોયું છે. આમ આ વર્ષે પણ આ ગરમીમાં મૂંગા પક્ષીઓને રાહત મળે એ માટે સમાજ સેવક કિરણ રાવલે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિતરણ કેમ્‍પનું આયોજન કર્યું હતું. જેમાં મૂંગા પક્ષીઓ માટે ચકલી ઘર, પક્ષીઓ પાણી પી શકે એ માટે પાણીના બાઉલ તેમજ પક્ષીઓ દાણા ચણી શકે એ માટે બોટલ ડીસોનું વિતરણ કર્યું હતું. આમઆ વિતરણનો લાભ વાપીના પક્ષી પ્રેમીઓએ ખુબ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. સમાજ સેવક કિરણ રાવલ દ્વારા આ વખતે લાકડાના અને પુઠાના એમ બંને પ્રકારના લગભગ 3850 ચકલી ઘર, તેમજ 2600 જેટલા પક્ષીઓ પાણી પી શકે એવા પાણીના બાઉલો તેમજ પક્ષીઓ ચણ ચણવા માટે લગભગ 1300 જેટલા ડિસોનું વિતરણ કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 પ્રકારના ચકલિઘરોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આમ આ દરેક વસ્‍તુ વિનામુલ્‍યે મફત વાપીની પક્ષીપ્રેમી જનતાને આપવામાં આવ્‍યું હતું. આ વિતરણ કેમ્‍પમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને સમાજ સેવક કિરણ રાવલે આ એજ પ્રભુ સેવામાં માનનાર કિરણ રાવલ વર્ષમાં 365 દિવસ અવિરત પોતાનાથી બનતી નિઃસ્‍વાર્થ સમાજ સેવા કરતા રહે છે.

Related posts

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈઃ ટ્રાફિક સમસ્‍યા હળવી થશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

ચીખલી ઍપીઍમસીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે પરિમલ દેસાઈ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment