Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02
ચીખલી તાલુકા સહિતના સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નવસારી જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમ્‍યાન સમસ્‍ત રાજા રજવાડા વિષે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેન દીકરીઓ વિષે પ્રવચનકરેલ છે. જેનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં ફરી રહ્યો છે. ક્ષત્રિય ગીરાસદર સમાજ વિષે અપમાનજનક ટિપ્‍પણી કરેલ છે. જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્‍યે રોષની લાગણી ફેલાયેલ છે.
ગુજરાત અને સમસ્‍ત ભારતભરના ક્ષત્રિય સમાજમાંથી 80-ટકા મતદાર ભાજપ તરફથી જ રહેતા હોય છે. રાજપૂત સમાજ હિન્‍દૂ અને કોઈપણ બહેન દીકરીઓની ઈજ્જત અને લાજ બચાવવા શહીદ થયાના હજ્‍જારો ઉદાહરણ છે. ત્‍યારે રાજપૂત સમાજની બહેન-દીકરીઓ વિષે આભદુ વાપરવી ઉચિત નથી.
સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કલેકટરના માધ્‍યમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને સી. આર. પાટીલને પણ આ અંગે જવાબદાર એવા પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની લોકસભાના ઉમેદવાર તરીકેની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
રાજપૂત સમાજની માંગણીની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજનું ભાજપ વિરૂધ્‍ધમાં મતદાન થાય તેવા પ્રયત્‍નો કરાશે તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.
વધુમાં પુરુષોત્તમ રૂપાલા ઉપર આવા અપમાનજનક ભાષા વાપરવા બદલ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ધર્મેન્‍દ્રસિંહ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાંઆવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

૨૬-વલસાડ (અ.જ.જા.) લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા(આઇએએસ) અને પોલીસ ઓબ્ઝર્વર શ્રીનાથ મહાદેવ જોશી(આઇપીએસ) એ જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમની મુલાકાત લીધી

vartmanpravah

મહુવા જઈ રહેલ સ્‍વિફટ કારમાં કિકરલા ખાતે આગ લાગતાં બળીને ખાખ થઈ: કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓનો આબાદ બચાવ

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

Leave a Comment