Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસ નગર પાલિકા દ્વારા વિકાસકામોને બહાલી આપવાના હેતુથી બહુમાળીથી બાવીસા ફળીયા તરફ જતા રસ્‍તા પરના ઘટાદાર વૃક્ષો કાપવાની કામગીરી પુરઝોશમાં આરંભી દેવામાં આવી છે અને વિકાસના નામે વર્ષોથી અડીખમ માનવી સહિત તમામ પશુ-પક્ષીઓને શીતળ છાયા અને આશરો આપનારા એવા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, વૈશ્વિક ગ્‍લોબલ વોર્મિંગ એક મહા સમસ્‍યા બની ગઈ છે જેનું મુખ્‍ય કારણ વૃક્ષોનું નિકંદન સહિત પ્રદૂષણ છે અને આ પ્રદૂષણ મનુષ્‍ય સહિતના પૃથ્‍વી ઉપરના દરેક જીવો માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. જોકે તેની અગમચેતી અનુસાર સરકાર દ્વારા ક્‍યાંક ક્‍યાંક વૃક્ષોનું વાવેતર શરૂ કરી દીધું છે અને વૃક્ષ મહોત્‍સવ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોને મહત્‍વ આપીને લોકોમાં જાગૃતિ લાવવાની ઝુંબેશ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વૃક્ષો કાપતા સામાન્‍ય લોકો સામે વહીવટીતંત્ર દ્વારા કાયદાકીય પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે, અને વનવિભાગ જંગલોમાં વૃક્ષ છેદન સામે સખત નજર રાખી રહ્યું છે. પરંતુ શહેરોમાં જ વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનું શું?
વાત છે સેલવાસ શહેરની. દાદરા નગર હવેલીમાં તમામ મોરચેવિકાસની હરણફાળ ભરી છે અને ચોમેર વનરાજીના જંગલો નહિ પણ કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યા છે અને તેમાં આડે આવતા વૃક્ષોનો પણ ખાત્‍મો બોલાવવામાં આવી રહ્યો છે. વિકાસના નામે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. ત્‍યારે એક બાજુ સરકાર વધુ વૃક્ષ વાવવાની ઝુંબેશ હાથ ધરે છે અને બીજી બાજુ વિકાસના નામે વૃક્ષોનો જ વિનાશ થઈ રહ્યો છે, ત્‍યારે લોકોમાં વિરોધ શા માટે થતો નથી તે પણ એક સવાલ છે.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી અંતર્ગત ‘પાવર ગ્રિડ’ મગરવાડાએ દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજેલી વક્‍તવ્‍ય સ્‍પર્ધા

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment