Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. ચૂંટણી વિભાગ દ્વારા તત્‍પરતા સાથે નજર રાખવા વિવિધ સ્‍થળોએફલાઈંગ સ્‍કવોર્ડની તૈનાતી કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ મતદાન થવાનું હોય તમામ તૈયારીઓની જોરશોરથી કામગીરી આટોપી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્‍કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024ના શુક્રવારથી સ્‍ટેટિક મોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ 14 જેટલા જુદા જુદા ચેકપોસ્‍ટ અને અન્‍ય સ્‍થળોએ તૈનાત કરવામાં આવ્‍યા છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્‍પક્ષ, પારદર્શક, મુક્‍ત, ન્‍યાયી અને તટસ્‍થ ચૂંટણી યોજાય તેમજ નિશ્ચિત કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા વિવિધ સ્‍થળોએ ચેકિંગ દરમિયાન ગત તા.29 માર્ચ, 2024ના રોજ લગભગ 54,720 રૂપિયાનો દારૂ, 30 માર્ચના રોજ લગભગ 1.10 લાખ રૂા.નો દારૂ તથા 04 એપ્રિલે અંદાજીત રૂા.22.9 હજારનો દારૂ પકડી પાડવામાં આવ્‍યો હતો. વિવિધ જગ્‍યાએથી તપાસ દરમિયાન 03 એપ્રિલના રોજ લગભગ 3.50 લાખ, 04 એપ્રિલે 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવીછે. ચૂંટણીની જાહેરાત થઈ ત્‍યાથી લઈને અત્‍યાર સુધી દમણના ચૂંટણી અધિકારીઓ દ્વારા આશરે 16.77 લાખની રોકડ રકમ અને 4.58 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્‍યો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવેલ નથી. તેથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે ન કરે.

Related posts

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

Leave a Comment