April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

બદલી થતાં વિદાય લઈ રહેલા સેક્રેટરી પ્રિયાંક પટેલ અને જે.ઈ.વિપુલ રાઠોડને આપવામાં આવ્‍યું વિદાયમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નવા નિમાયેલા પંચાયત સેક્રેટરી શ્રી પર્યંત જાની અને વિદાય લઈ રહેલા સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ તથા પંચાયતમાં જૂનિયર એન્‍જિનિયર તરીકે નિમણૂક પામેલા શ્રી હિરેન એલ. પટેલ અને બદલી થયેલા જે.ઈ. શ્રી વિપુલ જે. રાઠોડના આગમન અને વિદાયના સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, સરકારી નોકરીમાં બદલી અને બઢતી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ જ્‍યાં પણ કામ કરો અને જેટલો સમય કામ કરો તેમાં બેસ્‍ટ ટુ બેસ્‍ટ કરવાનો અભિગમ રાખવો જરૂરી છે. તેમણે દરેકને કાયદા અને નીતિ-નિયમની મર્યાદામાં રહી લોકોને કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારી રાખવા પણ સલાહ આપી હતી. તેમણે જ્‍યારથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્‍યો ત્‍યારથી જે.ઈ. તરીકે પોતાની પડખે રહેલા શ્રી વિપુલ રાઠોડ અને છેલ્લા દોઢ વર્ષથી સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળી રહેલા શ્રી પ્રિયાંક પટેલને પોતાની નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી અને નવા સેક્રેટરી શ્રી પર્યંત જાની અને નવા જે.ઈ. શ્રી હિરેન પટેલને દમણવાડા ગ્રામ પંચાયતના વિકાસમાં ઓતપ્રોત બનીને કામ કરવાપ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે પોતાના સન્‍માનના પ્રતિભાવમાં નવનિયુક્‍ત સેક્રેટરી શ્રી પર્યંત જાનીએ ભાવવિભોર બની જણાવ્‍યું હતું કે, સેક્રેટરી તરીકે હું અત્‍યાર સુધી ત્રણથી ચાર જેટલી પંચાયતોમાં ફરજ બજાવી ચુક્‍યો છું, પરંતુ પહેલી વખત ગ્રામ પંચાયત દ્વારા આગમન ઉપર સન્‍માન કરવામાં આવી રહ્યું છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી રોહિત ગોહિલે કર્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ સહિત પંચાયતના સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

Leave a Comment