December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

શિબિરમાં ગામના લોકો માટે દરેક પ્રકારના પ્રમાણપત્ર, વરસાઈની કાર્યવાહી, લગ્ન નોંધણી, વિધવા પેન્‍શન, આધારકાર્ડ તથા અન્‍ય મહેસૂલ વિભાગની સેવાઓનો લાભ 1500થી વધુ લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માનનીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીના જન્‍મ દિવસ રૂપે મનાવવામાં આવે છે જેના ઉપલક્ષમાંકલેક્‍ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા રખોલી પંચાયત અને સાયલી પંચાયતના નિવાસીઓ માટે મહેસૂલ વિભાગની સેવાઓ માટે આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમા મહેસૂલ વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત કાર્યાલય, લગ્ન નોંધણી વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, દાનહ અને ડીડી એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને લઘુમતિ ફાઈનાન્‍સિયલ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લીમીટેડ, જિલ્લા પંચાયત અને આધારકાર્ડ વિભાગના કર્મચારીઓ વિદ્યુત વિભાગ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત હતા. આ શિબિરમાં ગામના લોકો માટે દરેક પ્રકારના પ્રમાણપત્ર, વરસાઈની કાર્યવાહી લગ્ન નોંધણી, વિધવા પેન્‍શન, આધારકાર્ડ અને અન્‍ય મહેસૂલ વિભાગની સેવાઓનો લાભ 1500થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં 809 લોકોના પ્રમાણપત્ર જગ્‍યા પર જ બનાવી આપવામાં આવ્‍યા હતા. બાકી રહેલા લોકોને અરજીનો નિકાલ પાંચ દિવસમાં કરી દેવામાં આવશે જે ગામના તલાટી કાર્યાલય પરથી મેળવી શકાશે. આ શિબિર દરમ્‍યાન રખોલી પંચાયતના જિ.પં.સભ્‍ય દિપક પ્રધાને આર.ડી.સી.ને રજુઆત કરી હતી કે ગામડાઓમાં રાખવામાં આવતી શિબિરોમાં બેંકના અધિકારીઓ અને આયુષ્‍યમાન કાર્ડ માટે પણ લાભ મળવો જોઈએ. જે સંદર્ભે આરડીસીએ પણબાહેંધરી આપી હતી કે હવે પછીના શિબિરમાં આ સેવાઓને પણ આપવામાં આવશે. આ શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભાર્થીઓએ લાભ લીધોહતો.

Related posts

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

vartmanpravah

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

‘‘બીટ પ્‍લાસ્‍ટિક પોલ્‍યુશન”ની થીમ પર આધારિત વાપીમાં વી.આઈ.એ. દ્વારા 4 જૂનના રવિવારે ‘સ્‍ટ્રીટ ફોર ઓલ’ યોજાશે

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

Leave a Comment