December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

શિબિરમાં ગામના લોકો માટે દરેક પ્રકારના પ્રમાણપત્ર, વરસાઈની કાર્યવાહી, લગ્ન નોંધણી, વિધવા પેન્‍શન, આધારકાર્ડ તથા અન્‍ય મહેસૂલ વિભાગની સેવાઓનો લાભ 1500થી વધુ લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માનનીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીના જન્‍મ દિવસ રૂપે મનાવવામાં આવે છે જેના ઉપલક્ષમાંકલેક્‍ટરના દિશા-નિર્દેશ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા રખોલી પંચાયત અને સાયલી પંચાયતના નિવાસીઓ માટે મહેસૂલ વિભાગની સેવાઓ માટે આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમા મહેસૂલ વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત કાર્યાલય, લગ્ન નોંધણી વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, દાનહ અને ડીડી એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને લઘુમતિ ફાઈનાન્‍સિયલ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લીમીટેડ, જિલ્લા પંચાયત અને આધારકાર્ડ વિભાગના કર્મચારીઓ વિદ્યુત વિભાગ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત હતા. આ શિબિરમાં ગામના લોકો માટે દરેક પ્રકારના પ્રમાણપત્ર, વરસાઈની કાર્યવાહી લગ્ન નોંધણી, વિધવા પેન્‍શન, આધારકાર્ડ અને અન્‍ય મહેસૂલ વિભાગની સેવાઓનો લાભ 1500થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં 809 લોકોના પ્રમાણપત્ર જગ્‍યા પર જ બનાવી આપવામાં આવ્‍યા હતા. બાકી રહેલા લોકોને અરજીનો નિકાલ પાંચ દિવસમાં કરી દેવામાં આવશે જે ગામના તલાટી કાર્યાલય પરથી મેળવી શકાશે. આ શિબિર દરમ્‍યાન રખોલી પંચાયતના જિ.પં.સભ્‍ય દિપક પ્રધાને આર.ડી.સી.ને રજુઆત કરી હતી કે ગામડાઓમાં રાખવામાં આવતી શિબિરોમાં બેંકના અધિકારીઓ અને આયુષ્‍યમાન કાર્ડ માટે પણ લાભ મળવો જોઈએ. જે સંદર્ભે આરડીસીએ પણબાહેંધરી આપી હતી કે હવે પછીના શિબિરમાં આ સેવાઓને પણ આપવામાં આવશે. આ શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભાર્થીઓએ લાભ લીધોહતો.

Related posts

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment