Vartman Pravah
દમણ

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬ઃ દમણમાં વરસાદ ખેîચાતા ડાંગરનું ધરૂ સુકાવાની નોબત આવી રહી છે. ખાસ કરીને મોટી દમણના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. પ્રશાસન દ્વારા સિંચાઈની કરાયેલી વ્યવસ્થા છતાં દેખરેખના અભાવે સિંચાઈ વ્યવસ્થામાં અવરોધ પેદા થયેલ હોવાની માહિતી પણ સાંપડી છે.
મળતી માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે પ્રશાસન દ્વારા સિંચાઈ વ્યવસ્થા માટે કેટલાક ખેતરોને આવરી લઈ બોર કરવામાં આવેલ છે. આ બોરમાંથી ખેતરોને પાણી પહોîચાડવા માટે પમ્પીંગ સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે. પરંતુ દેખરેખના અભાવે આ વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનું સામે આવ્યું છે.
અત્રે નોîધનીય છે કે, મોટી દમણમાં મધુબન જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલ નહેરની પણ કોઈ ઉપયોગીતા રહી નથી. જ્યારથી નહેરનું નિર્માણ થયું છે ત્યારથી ભાગ્યે જ ખેતરને પાણી પહોîચ્યું હોય ઍવી સ્થિતિ છે. નહેરની આજુબાજુ કરાયેલા દબાણના કારણે ખેતરો સુધી પાણી પહોîચતું નથી અને ઠેર ઠેર નહેરમાં પણ ભંગાણ હોવાનું જાવા મળે છે.
સંઘપ્રદેશ પ્રશાસન ખાસ કરીને મોટી દમણના ખેડૂતોની ખેતીને નવજીવન મળે ઍવા પ્રયાસ કરે ઍવી માંગ પ્રબળ બની છે. મોટી દમણમાં સિંચાઈના અભાવની સાથે સાથે રખડતા ઢોરોના પણ અસહ્ના ત્રાસના કારણે ખેડૂતો પોતાની જમીનમાં કોઈપણ વસ્તુનું વાવેતર કરવાનું ટાળે છે. જા પ્રશાસન દ્વારા યોગ્ય સહકાર મળે તો મોટી દમણમાં અોર્ગેનિક ખેતીનો પ્રયોગ પણ સફળ બની શકે ઍવી સંભાવના જાવાઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન મોટી દમણના ખેડૂતો માટે કોઈ ઠોસ રણનીતિ બનાવે ઍવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Related posts

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

Leave a Comment