Vartman Pravah
ગુજરાત

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૬
રાષ્ટ્રપતિ દ્વારા આજરોજ ભારત દેશના જુદા જુદા રાજ્યોના રાજ્યપાલોની ફેરબદલ અને કેટલાક રાજ્યપાલની નિમણૂંક કરાઈ છે. જેમાં ગુજરાતના નવસારીના વતની શ્રી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કર્ણાટકના રાજ્ય પાલ તરીકે મધ્યપ્રદેશના નેતા શ્રી થાવરચંદ ગહેલોત અને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના નેતા શ્રી મંગુભાઈ પટેલની નિમણૂંક કરી છે. જ્યારે શ્રી હરિબાબૂ કમભમપતિને મિઝોરમનના અને શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે.
આ ઉપરાંત મિઝોમરના રાજ્યપાલ શ્રી પી.ઍસ. શ્રીધરન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ, હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેશ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે ત્રિપુરાના રાજ્યપાલ શ્રી રમેશ બૈસને ઝારખંડના અને હિમચાલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
નવસારી નગરપાલિકાના સભ્યપદથી રાજકીય સફર શરૂ કરનારા શ્રી મંગુભાઈ પટેલ સતત ૬ ટર્મ ધારાસભ્ય રહ્ના હતા. તેઅો ૧૯૯૦થી ૧૯૯૫, ૧૯૯૫થી ૧૯૯૭, ૧૯૯૮થી ૨૦૦૨, ૨૦૦૨થી ૨૦૦૭, ૨૦૦૨થી ૨૦૧૨ અને ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧ જૂન ૧૯૪૪ના રોજ જન્મેલા મંગુભાઈ પટેલે નજીવો અભ્યાસ કર્યો હોવા છતાં તેઅો રાજકીય જીવનમાં ખૂબ જ અગ્રેસર રહ્ના હતાં. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાયા બાદ રૂપાણી સરકારમાં તેમને પડતાં મુકાયા હતાં.
કેશુભાઈ સરકાર દરમિયાન શ્રી મંગુભાઈ પટેલ વર્ષ ૧૯૯૮થી ૨૦૦૨ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. ત્યાર બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારમાં ૨૦૦૨થી ૨૦૧૨ સુધી વન અને પર્યાવરણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. સતત ૧૦ વર્ષ સુધી વન અને પર્યાવરણ મંત્રી પદે રહ્ના બાદ ૨૦૧૩માં તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂપાણી સરકારમાં તેમને પડતાં મુકાયા હતાં.
પ્રધાનમંત્રી શ્રીમોદીઍ તેમને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતાં. સવા વર્ષ પહેલા કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે મંગુભાઈ નવસારીમાં પોતાના નિવાસસ્થાને હતા. ત્યારે ઍક ફોન આવ્યો અને જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની સાથે વાત કરવા માંગે છે. આ સાંભળીને જ મંગુભાઈ ચોîકી ગયા હતા અને ત્યારબાદ શ્રી મોદીઍ મંગુભાઈ સાથે વ્યક્તિગત વાત કરી તેમના અને પૌત્રના ખબર અંતર પૂછ્યા હતાં.

Related posts

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

vartmanpravah

Leave a Comment