September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

ખાણ-ખનીજ વિભાગના આશીર્વાદથી તળાવમાં 10 હજાર ટન માટી કાઢવાની પરમીશન સામે લાખ ટન માટી વગે થઈ ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી નજીક આવેલ વલવાડા-કરમબેલા ગામે તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં એક લાખ ટનથી વધુ માટી ભુમાફીયાઓએ બિલ્‍ડરોને વેચી માર્યાનો આક્ષેપ ગ્રામજનોએ કરતા ચકચાર મચી જવા પામી છે.
વલવાડા ગામે બે સુંદર તળાવ આવેલા છે. તળાવમાં પાણીનો સંગ્રહ થાય તે માટે એક એજન્‍સી તળાવમાંથી 10 હજાર ટન માટી કાઢવાની કામગીરી લીધી હતી. બે તળાવ પૈકી કરમબેલાનું તળાવ ઊંડુ કરવાની કામગીરીમાં 10 હજાર ટન માટી કાઢવાની જગ્‍યાએ એકાદ લાખ ટન માટી ભૂમાફીયાઓએ કાઢીને બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ કામગીરીમાં કહેવાય છે કે ખાણ-ખનીજ વિભાગ સાથે ભૂમાફીયાઓ સેટીંગ કરી તળાવ ખોદીઅન્‍ય જગ્‍યાએ માટીનો સંગ્રહ કર્યા પછી બિલ્‍ડરોને વેચી મારવામાં આવતી હતી. અધિકારીઓને લાખો રૂપિયા આપી મામલો ફે દફે થતો રહ્યો હતો. તળાવની ઊંડાઈ એટલી બધી વધારે થઈ ગઈ હોવાથી આસપાસના ભૂગર્ભ જળ વાડીઓ-કુવાના પાણી ફંટાઈ જતા તળાવમાં પાણી ભરાઈ ગયું છે. બીજી તરફ કુવા સુકાઈ ચૂ્‌ક્‍યા છે. ભૂમાફીયા અનેક ગુનામાં સંડોવાયેલ હોવાથી ગ્રામજનો ડરી રહ્યા છે. વિરોધ કરવાની ક્ષમતા ગ્રામજનોમાં નથી. બીજી ઘટના એ છે કે માથાભારે બિલ્‍ડરે ગ્રામજનોને સાથે રાખી 12 ફૂટના રસ્‍તાને 40 ફૂટ બનાવવા પણ પુરાણ કરવામાં આવ્‍યું છે. મામલો ઉચ્‍ચ સ્‍તરે પહોંચેલો છે. પૈસાની વગ આધિન વહિવટી તંત્ર ચૂપ રહ્યાનું કહેવાય છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

Leave a Comment