(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સુરતના હજીરાથી કેમિકલ ભરેલ ટેન્કર નં.જીજે-12-બીવાય-6022 મુંબઈ તરફ જઈ રહ્યું હતું. દરમ્યાન બુધવારની વહેલી સવારના સમયે ચીખલીના થાલા નેશનલ હાઈવે સ્થિત સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડીપાસે ટેન્કર રોડની સાઇડે ગટરમાં ઉતરી જતા રાત્રીના સમયે નાસભાગ મચી જવા પામી હતી. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ટેન્કરમાં જ્વલંત કેમિકલ ભરેલ હોય સાવચેતીના ભાગરૂપે બીલીમોરા અને ચીખલી ફાયર ફાઇટર તૈનાત કરી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ યુધ્ધના ધોરણે સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.