June 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના ટાંકલમાં બે સામસામે અથડાયેલી કારમાં એક બીજી કાર ઘુસી જતા સર્જાયેલા અકસ્‍માતમાં વલસાડના સેગવીના એક જ પરિવારના બે બાળકો સહિત પાંચ જેટલા ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
બનાવની ઘટના સ્‍થળેથી પ્રાપ્ત માહિતી મુજબ રવિવારના રોજ બપોરના સમયે આઈ-20 નં-જીજે-21-સીબી-2058 નંબરની કારનો ચાલક સરૈયાથી ટાંકલ તરફ આવી રહ્યો હતો. દરમિયાન ટાંકલ મોટી નહેર પાસે સરૈયા તરફ જઈ રહેલ બલેનો કાર નં.જીજે-15-સીજે-1574 સામસામે ભટકાતા અને આ બલેનો કારમાં પાછળ આવી રહેલ ટાટા સફારી કાર નં-જીજે-21-એમ-9270 પણ ભટકાતા બલેનો કાર રસ્‍તાની સાઈડે ઉતરી ગઈ હતી જોકે સામ સામે ભટકાયેલી બંને કારોમાં વ્‍યાપક નુકસાન થવા સાથે આપૈકી બલેનો કારમાં સવાર વલસાડ તાલુકાના સેગવી ગામના એક જ પરિવારના પાંચ જેટલા ઈજાગ્રસ્‍ત થતા ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું. ઉપરાંત અકસ્‍માતમાં સરાયા ગામના આઈ-20 કારના ચાલક આશિષ હેમંતભાઈ પટેલને પણ નાની મોટી ઈજા થઈ હોવાની માહિતી સાંપડી હતી.
અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલાઓમાં દિવ્‍યાબેન સાવનભાઈ રાઠોડ (ઉ.વ-29), યુગ સાવનભાઈ રાઠોડ (ઉ.વ.-9), હર્મિષ્ઠા સાવન રાઠોડ (ઉ.વ-8 મહિના), સાવન મુકેશભાઈ રાઠોડ (ઉ.વ-30), પ્રાચી દેવાંગ રાઠોડ (ઉ.વ-22) તમામ રહે.સેગવી તા.જી.વલસાડ, આશિષ હેમંતભાઈ પટેલ (રહે.સરૈયા તા.ચીખલી જે આઈ-20 કારનો ચાલકનો સમાવેશ થાય છે.
અકસ્‍માતની જાણ થતા ટાંકલ ગામના સરપંચ દિનેશભાઈ સહિતના ઘટના સ્‍થળે ધસી જઈ ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં ખસેડવા સહિતની તજવીજ કરી હતી. જોકે બનાવ અંગે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો.

Related posts

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

Leave a Comment