September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ધરમપુર તાલુકાના સજની બરડા ગામે શ્રી હનુમાનજી મંદિર નવનિર્માણ પામ્‍યું છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાય રહ્યો છે.
શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્‍વામિનારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ ધરમપુર મોટાપોંઢા રામવાડી દ્વારા આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં 21 એપ્રિલથી શરૂ થયેલા આ મહોત્‍સવમાં રવિવારે ભવ્‍ય વરઘોડો નીકળ્‍યો હતો. સાંજે મહાપ્રસાદનું આયોજન થયું હતું અને ત્‍યારબાદ ભજન મંડળી દ્વારા હરીપાઠનું પણ આયોજન થયું હતું.
22 એપ્રિલના રોજ યજ્ઞ કરવામાં આવ્‍યો હતો તેમ જ કથા ઉપરાંત સાંજે મહાપ્રસાદનું આયોજન થયું હતું.
તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9:15 થી 12 યજ્ઞ તેમજ પાર્ટ 15 થી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ આરતી તથા પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાંઆવ્‍યું છે.
આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોના મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.
સજની બરડા ગામે સંકલ્‍પ સિદ્ધ હનુમાનજી મહારાજનું ભવ્‍ય અને દિવ્‍ય મંદિર પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવ ચરણદાસજીના આશીર્વાદથી શ્રી સ્‍વામિનારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ પૂજ્‍ય હરીવલ્લભ સ્‍વામીજી, તથા શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના પ્રમુખ પૂજ્‍ય કપિલ સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.

Related posts

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

vartmanpravah

Leave a Comment