April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

ચેતન બાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે : પોલીસ બાપુને ઊંચકી લાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ નજીક આવેલ રાબડા ગામે ચેતન બાપુ નામનો અભણ બાપુ દરગાહ ચલાવી રહ્યો છે. બાપુએ હનુમાન જયંતિ ઉજવવાની બહાર પાડેલી જાહેર પત્રિકામાં હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. દર્શન કરવા પધારવાના આમંત્રણ જોગ પત્રિકાને લઈ સમસ્‍ત હિંદુ સમાજની લાગણી દુબાઈ હતી. મામલો વધુ વણશે તે પહેલા વલસાડ પોલીસ ચેતન બાપુને પોલીસસ્‍ટેશન ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્‍ટેશન દોડી ગયા હતા.
વલસાડ નજીક આવેલા રાબડા ગામે અભણ ચેતનબાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે. આ દરગાહમાં હનુમાન જયંતિ ઉજવણીનું આયોજન તા.23ના રોજ રાખવાનું હોવાથી તે મતલબની જાહેર પત્રિકા બહાર પાડી હતી. જેમાં હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્‍દો લખાયા હતા. પત્રિકામાં લખાયેલું હતું કે હનુમાન દાદાની કબર ખોલવામાં આવશે. તેના દર્શનનો લાભ લેવાનું જણાવાયું હતું. પત્રિકા વાયરલ થતા મામલો ગરમાયો હતો. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા પોલીસ ચેતન બાપુને ઊંચકી લાવી હતી. હિંદુ સંગઠનના અગ્રણી બકુલ રાજગોર, ગૌરક્ષક સંઘના દિનેશ ચૌહાણ સહિતના હિંદુ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટેશનમાં ભેગા થયા હતા અને માંગણી કરી હતી કે ઢોંગી, અભણ, અંધશ્રધ્‍ધા ફેલાવતા ચેતન બાપુ ઉપર ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધો. હિંદુ આગેવાનોએ બાપુના ઢોંગી અંધશ્રધ્‍ધા અંગે અનેક આક્ષેપો કર્યા હતા. બાળકો ન થતા હોય તો બાપુ પૈસા લઈને બાધા-આખડી જેવા ઢોંગ પણ ચલાવી રહ્યો છે. બાપુની હનુમાન જયંતિની કપોળ કલ્‍પીત પત્રિકાને લઈને હિંદુઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

Related posts

ધરમપુર બારોલીયામાં કાર્યરત નિવાસી શાળામાં ચાલતી ગેરરીતીઓ અંગે પોલીસમાં રાવ કરાઈ

vartmanpravah

દાનહમાં દિવસે દિવસે વધી રહેલો રખડતા પશુઓનો વધેલો ત્રાસઃ સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી માટે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

vartmanpravah

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment