ટ્રાફિકને જે તે હોટલોના પાર્કિંગમાં ડાઈવર્ટ કરાયો :
વલસાડ પોલીસ ટ્રાફિક કન્ટ્રોલમાં જોતરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: આજે શુક્રવારે મહારાષ્ટ્ર પાલઘરના વાધવન બંદરનું ઉદ્દઘાટન અને બીજા પ્રોજેક્ટના શિલાન્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાધવન બંદરે કાર્યક્રમ યોજાવાનો હોવાથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધી બંધ કરીદેવાયો હતો. તેથી વાપીથી લઈ પાલઘર સુધી ટ્રકોની અવર જવર થંભી ગઈ હતી. તેથી ટ્રાફિક જામ ઠેર ઠેર જોવા મળ્યો હતો.
પાલઘર મેજીસ્ટ્રેટ દ્વારા ગુરૂવારે ખાસ બહાર પડાયેલ જાહેરનામા બાદ આજે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે વડાપ્રધાનના કાર્યક્રમ ઉપલક્ષમાં બન્ને તરફની અવરજવર સાંજે 8 વાગ્યા સુધી બંધ રખાઈ હતી. ટ્રાફિકને કન્ટ્રોલ કરવા માટે મહારાષ્ટ્ર ગુજરાત પોલીસે જે તે હોટલોના પાર્કિંગમાં ટ્રકોને ડાઈવર્ટ કરી દેવાઈ હતી તેથી ટ્રાફિક વધુ સંવેદનશીલ થતો અટક્યો હતો. વલસાડ પોલીસ પણ વાપીથી ગુજરાતની તલાસરી ચેકપોસ્ટ સુધી હાઈવે ટ્રાફિકની જવાબદારી અદા કરવા જોતરાઈ ચૂકી હતી. વાધવન બંદર મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય ભારતનું 13મું બંદર 77 હજાર કરોડથી વધુ ખર્ચ તૈયાર થવા જઈ રહ્યું છે. જેનું ઉદ્દઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. 300 મીલીયન ટકાની ક્ષમતા સાથે 24 હજાર જહાજો હેન્ડલ કરાશે. મત્સ્ય ઉદ્યોગના વિકાસની દિશા ખુલી જશે. સ્માર્ટ ફીસ માર્કેટ ડેવલપ થશે તેમજ ભારત મધ્ય પૂર્વ યુરોપ ઈકોનોમિક કોરીડોર કાર્યરત વાધવન બંદર થકી કાર્યરત થશે.