June 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: અંજનિપુત્ર હનુમાનજીની જન્‍મ જયંતિ નિમિત્તે ખાંભડા ગામે હનુમાનજી મંદિરે મંદિરના 10-માં પાટોત્‍સવ સાથે શ્રી હનુમાન જન્‍મોત્‍સવની શરૂઆત સ્‍થાનિક આગેવાન અને કાવેરી સુગરના ડિરેકટર ભરતભાઈ જગુભાઈ પટેલના પરિવારના યજમાન પદે ભુદેવોના મંત્રોચ્‍ચાર સાથે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડનું પારાયણ દ્વારા કરાતા મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી દાદાના દર્શન કરી મહાપ્રસાદનો લાહ્વો લીધો હતો. ગણદેવી તાલુકાના વલોટી ગામે શ્રી જય હનુમાનજીનાજન્‍મોત્‍સવ ઉજવાયો હતો, સોલધરા ગામે શ્રી જય હનુમાન પ્રગતિ મંડળ ટ્રસ્‍ટ દ્વારા હનુમાનજીના મંદિરે હવન તથા મહાપ્રસાદનું આયોજન કરાતા અનેક ભક્‍તોએ લાભ લીધો હતો. કુકેરી ગામના મારુતિધામમાં હનુમાન જન્‍મોત્‍સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ, ધ્‍વજા રોહણ, મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાતા મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા. ઘેજ ગામે ખરેરા નદીના તટે બિરાજમાન સ્‍યંભુ પંચમુખી હનુમાનજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્‍તોની ભીડ જામી હતી. અને યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત તલાવચોરા દેસાઈવાડ સ્‍થિત દક્ષિણા મુખી હનુમાનજી મંદિરે પણ ભુદેવ ગોપાલભાઈ મહારાજના મંત્રોચ્‍ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. ખૂંધ સાત પીપળા, ચીખલીમાં ગાયત્રી મંદિર, ધોબીવાડ સ્‍થિત હનુમાનજીના મંદિરે ખૂંધ અંબામાતા મંદિરે તથા ઘેજ મોટા ડુંભરીયા, ટાંકલ, રૂમલા, સાદકપોર સહિતના ગામે ગામ યજ્ઞ, મહાપ્રસાદ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજી હનુમાન દાદાને કાળા તલ, તેલ, સિંદૂર, આંકડાના ફૂલ ચઢાવી પૂજા અર્ચના દર્શન કરી હનુમાનજી જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

ડેંગ્‍યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરાયા

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

Leave a Comment