June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

રસાકસી માત્ર કોંગ્રેસ-ભાજપ વચ્‍ચે છે, બાકીના ઉમેદવારો ડિપોઝીટ સાચવવાની ત્રેવડમાં નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ-ડાંગ લોકસભાની સામાન્‍ય ચૂંટણી આગામી તા.7 મેના રોજ યોજાઈ રહી છે તે પહેલા ફોર્મ ખેંચવાની અંતિમ તા.21 એપ્રિલે જિલ્લા લોકસભા ચૂંટણીનું ચિત્ર ક્‍લિયર થઈ ગયું હતું. ભાજપ-કોંગ્રેસ તેમજ ત્રણ અન્‍ય પાર્ટી અને બે અપક્ષ સહિત સાત ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવેલુ છે.
વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ તરફથી ધવલભાઈ લક્ષ્મણભાઈ પટેલ, કોંગ્રેસ તરફથી અનંતભાઈ હસમુખ પટેલ તેમજ બહુજન સમાજ પાર્ટી (બી.એસ.પી.)માં માનક જગુભાઈ શાંકર, જન રિપબ્‍લિક સોશિયલીસ્‍ટ પાર્ટીના ઉમેશ મગનભાઈ પટેલ, રોકેવીર ઈન્‍ડિયન પાર્ટીમાંથી જયંતિ ખંડુભાઈ શાલુ તથા બે અપક્ષ ઉમેદવાર, રમણ કરશનભાઈ પટેલ અને ચિરાગ ભરતભાઈ પટેલ નામના કુલ 7 ઉમેદાવરો વલસાડ-ડાંગ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જો કે નોંધનીય છે કે, ચૂંટણીનો સીધો મુકાબલો ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે છે. જ્‍યારે અન્‍ય પાંચ ઉમેદવારોની ડિપોઝીટ પણ બચશે કે કેમ તેવો સવાલ ઉભો થયો છે. 7મે મતદાનના દિવસે આ સાત ઉમેદવારો પૈકી મતદારો કોને કોને મત આપે છે તેનો ચૂકાદો તા.4 જૂનના રોજ ચૂંટણી પરિણામના દિવસે ચિત્રસ્‍પષ્‍ટ થઈ જશે.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment