વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયામાં રહેતા સુરજીભાઇ જમસુભાઇ પટેલ તા.૧૫/૩/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્યા દમિયાન ઘરેથી ચોખા દળાવવા ઝરોલી ગામે જાઉં છું તેમ જણાવી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, પાતળો બાંધો, શરીરે સફેદ કલરનું શર્ટ તથા કમરે આછો બ્લ્યુ પેન્ટ પહેર્યો છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.