December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, ત્‍યારે હાલ અમદાવાદ ખાતે એસ્‍ટ્રો ફાઉન્‍ડેશન દ્વારા YMCA ક્‍લબ દ્વારા છ દિવસીય એક એસ્‍ટ્રો ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા ભારતની મોટી મોટી હસ્‍તીઓ, ધર્મ ગુરૂ ઉપસ્‍થિત રહ્યા હતા, અને મુખ્‍ય અતિથિ તરીકે ડો.એચ.એસ. રાવત, ગુલશન ગ્રોવર, શકિત કપૂર, ભાગ્‍યશ્રી, આરતી છાવડીયા, મમતા સોની, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દીવના ઘોઘલાના રહેવાસી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે પીએચડી પૂર્ણ થતાં પીએચડીની પદવી તથા એસ્‍ટ્રો સાઈન્‍સ વાસ્‍તુ એવોર્ડ 2024 ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે એનાયત કરીસન્‍માનિત કર્યા હતા. આ એવોર્ડ મળતા દીવ ખાતે બ્રહ્મ સમાજ તથા તેમના પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળ્‍યો હતો, તથા દીવને ગૌરવ અપાવ્‍યું હતું.

Related posts

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

Leave a Comment