April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં જુદા જુદા ૩ બનાવોમાં ઍક મહિલા સહિત ૩ના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ બનાવમાં એક મહિલા સહિત ત્રણ જેટલાનું મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના બામણવેલ પારસી ફળીયા ખાતે રહેતા મનીષ સોમાભાઈ રાઠોડ (ઉ.વ 34) જે પારસી ફળીયા પાસે ગુજરાતી સ્‍કૂલની પાછળ આવેલ નહેરમાં સવારના દસેક વાગ્‍યાના સમયે કપડા ધોવા માટે ગયો હતો. દરમ્‍યાન પોતાનો પગ અચાનક લપસી જતા નહેરના ઊંડા પાણીમાં પડી જતા ડૂબી જતાં જેનું મોત નીપજ્‍યું હતું. બનાવની ફરિયાદ સાવન કોલાભાઈ રાઠોડ (ઉ.વ.આ-24) એ કરી હતી.
જ્‍યારે બીજા બનાવમાં સુંથવાડ દીવાન ફળીયા ખાતે રહેતી મીનાક્ષીબેન વિપુલભાઈ પટેલ (ઉ.વ-35) પતિ વિપુલ સાથે રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર ચીખલી ખરીદી કરવા આવી હતી. દરમ્‍યાન પરત સુંથવાડ ઘરે જતી વેળા આલીપોર ભેંસાણીયા ફળીયા સર્વિસ રોડ ઉપર અચાનક મીનાક્ષી પટેલને ચક્કર આવતા અને મોટર સાયકલ પરથી નીચે પડતા માથાના ભાગે વાગતા સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાતા જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેનીફરિયાદ પતિ વિપુલ રમેશભાઈ પટેલ (ઉ.વ-40) (રહે.સુંથવાડ દીવાન ફળીયા તા.ચીખલી) એ કરી હતી.
જ્‍યારે ત્રીજા બનાવમાં ચીખલીના હલધરું કામરેજ ખાતે રહેતા અમરદીપ સુરેશ પાટીલ જે અમદાવાદ ખાતે આવેલ મારુતિ એર સિસ્‍ટમ કંપની તથા ગ્રીન ટેક ઈલેક્‍ટ્રિકલ એન્‍ડ ઈલેક્‍ટ્રોનિક્‍સ કંપનીનું કામ કરતો હોય અને આ બંને કંપનીઓ ચીખલીના સુંથવાડ સ્‍થિત વારી કંપનીમાં કોન્‍ટ્રાકટ રાખેલ હોય જે કંપનીમાં સૂરજ કિશોર બાસકોડ તથા અમરદીપ સુરેશ પાટીલ સાથે વારી કંપનીના એઇએસ પ્‍લાન્‍ટમાં કામ કરી રહ્યા હતા. દરમ્‍યાન આશરે 25-ફૂટ ઉપર થાંભલા પર ચડીને પંખો ફિટ કરી રહ્યો હતો તે સમયે કંપનીના આઈ બીમમાં અમરદીપ પાટીલ નીચે પટકાતા ડાબા હાથ તથા ગળાના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ અમોલ નારાયણ પાટીલ (ઉ.વ-29) (રહે.સુરાયગામ તા.શીંગખેડા જી.ધૂલિયા, મહારાષ્‍ટ્ર) એ કરતા ઉપરોક્‍ત ત્રણેય ગુનાની તપાસ પીએસઆઇ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2024ને અનુલક્ષી દાદરા નગર હવેલીમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

Leave a Comment