Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

નામધા રોડ ઉપર ચાલીમાં રહેતા શ્રમિક પરિવારની સગીરાએ કેમ આપઘાત કર્યો, અનેક તર્કવિતર્ક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નામધા રોડ ઉપરચાલીમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષિય સગીરાએ ઘરમાં કોઈ નહોતુ ત્‍યારે ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યાની ઘટના બુધવારે સાંજના ઘટી હતી. ઘટના બાદ વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી નામધા રોડ ઉપર ચાલીમાં રહેતો શ્રમિક પરિવાર બુધવારના રોજ ઘરેથી બહાર હતો. સાંજના આવી જોયુ તો 15 વર્ષિય પૂત્રી દેખાતી નહોતી, આમતેમ તપાસ કર્યા બાદ સગીરા ઘરમાં આત્‍મહત્‍યા કરેલી હાલતમાં મળી આવી હતી. આત્‍મહત્‍યાના સમયે સગીરા ઘરમાં એકલી હતી. ઘટના અંગે પોલીસે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. ઘટના સ્‍થળે પહોંચી પોલીસે લાશનો કબજો મેળવીને પી.એમ. માટે મોકલી આપી હતી તેમજ પરિવારના લોકો, પડોશીઓના પોલીસે નિવેદન લીધા હતા. અગમ્‍ય કારણોસર સગીરાએ આત્‍મહત્‍યા કર્યાની ઘટનાને લઈ અનેક તર્કવિતર્ક ઘટના બાદ વહેતા થયા હતા. પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment