December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

ત્રણ દિવસ પહેલા પંચર થયેલ તે પછી બદલીમાં નવુ ટાયર નાંખવામાં આવ્‍યું નથી : ગંભીર અકસ્‍માત સર્જાવાની ભીતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી રેલવે સ્‍ટેશનથીદાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર બસ દોડી રહી છે. આ બસમાં ત્રણ દિવસ પહેલા પાછલા એક ટાયરનું પંચર થયું હતું. પંચર માટે કાઢી લેવાયેલ ટાયર બાદ નવુ ટાયર નાખવામાં નથી આવ્‍યું તેથી પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો સાથે બસ બિંદાસ દોડાવાઈ રહી છે તેથી ગમે તે સમયે અકસ્‍માત સર્જાવાની ભીતી મુસાફરોના માથે તોળાઈ રહી છે.
વાપી રેલવે સ્‍ટેશનથી બસ નં.જીજે 15 એવાય 4893 દાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર રૂટ દોડી રહી છે. ત્રણ દિવસ પહેલા બસના પાછળના ચાર ટાયરો પૈકી ડાભી સાઈડના એક ટાયરનું પંચર થયું હતું ત્‍યાર બાદ તેની સ્‍થાને નવુ ટાયર નાખવામાં આવ્‍યું નથી. માત્ર ત્રણ ટાયર ઉપર બસને દોડાવાઈ રહી છે. બસના મુસાફરોના જીંદગી સાથે ખુલ્લા ચેડા થયાનું દેખાઈ રહ્યું છે. ત્રણ ટાયર વાળી બસ ક્‍યારેય અકસ્‍માત સર્જી શકે છે. મોટો ખાડો કે જંપ આવે તો બસ પલટી મારી શકે તેવી ચોક્કસ શક્‍યતાઓ જોવા મળી રહી છે. બસ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. મુસાફરોની જીંદગી સાથે ચેડા થઈ રહ્યા છે તે માટે જવાબદાર કોણ?

Related posts

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં મુખ્‍યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્‍કોલરશીપ યોજનામાં ધો.9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ શિષ્‍યવૃત્તિના લાભથી વંચિત

vartmanpravah

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment