April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનથી દાદરા ચેક પોસ્‍ટ સુધી દોડતી બસ પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો વડે ચાલી રહી છે

ત્રણ દિવસ પહેલા પંચર થયેલ તે પછી બદલીમાં નવુ ટાયર નાંખવામાં આવ્‍યું નથી : ગંભીર અકસ્‍માત સર્જાવાની ભીતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી રેલવે સ્‍ટેશનથીદાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર બસ દોડી રહી છે. આ બસમાં ત્રણ દિવસ પહેલા પાછલા એક ટાયરનું પંચર થયું હતું. પંચર માટે કાઢી લેવાયેલ ટાયર બાદ નવુ ટાયર નાખવામાં નથી આવ્‍યું તેથી પાછળના ચાર ટાયર પૈકી ત્રણ ટાયરો સાથે બસ બિંદાસ દોડાવાઈ રહી છે તેથી ગમે તે સમયે અકસ્‍માત સર્જાવાની ભીતી મુસાફરોના માથે તોળાઈ રહી છે.
વાપી રેલવે સ્‍ટેશનથી બસ નં.જીજે 15 એવાય 4893 દાદરા ચેકપોસ્‍ટ સુધી સરક્‍યુલર રૂટ દોડી રહી છે. ત્રણ દિવસ પહેલા બસના પાછળના ચાર ટાયરો પૈકી ડાભી સાઈડના એક ટાયરનું પંચર થયું હતું ત્‍યાર બાદ તેની સ્‍થાને નવુ ટાયર નાખવામાં આવ્‍યું નથી. માત્ર ત્રણ ટાયર ઉપર બસને દોડાવાઈ રહી છે. બસના મુસાફરોના જીંદગી સાથે ખુલ્લા ચેડા થયાનું દેખાઈ રહ્યું છે. ત્રણ ટાયર વાળી બસ ક્‍યારેય અકસ્‍માત સર્જી શકે છે. મોટો ખાડો કે જંપ આવે તો બસ પલટી મારી શકે તેવી ચોક્કસ શક્‍યતાઓ જોવા મળી રહી છે. બસ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. મુસાફરોની જીંદગી સાથે ચેડા થઈ રહ્યા છે તે માટે જવાબદાર કોણ?

Related posts

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્‍યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

Leave a Comment