March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

થર્ડ ફેઈઝમાં આવેલ એઆઈએમ કેમિકલ કંપનીમાં ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝમાં આવેલ એક કેમિકલ કંપનીમાં એસિડની સ્‍ટોરેજ ટેન્‍કનો વાલ્‍વ તૂટી જતા આખી કંપની પરિસર અને બહાર રોડ સુધી એસિડના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટના બાદ ભારે દોડધામમચી જવા પામી હતી.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઈઝ પ્‍લોટ નં.1401/3માં કાર્યરત એ.આઈ.એમ. કંપનીમાં શનિવારે કંપનીના એસિડ સ્‍ટોરેજ ટેન્‍કનો વાલ્‍વ અચાનક તૂટી જતા એસિડના રેલાઓ પરિસર સહિત કંપની બહાર ફેલાઈ ગયા હતા. ક્‍યાંક તો ખાબોચીયા ભરાઈ ગયા હતા. ટાંકીના ખરાબ થઈ ગયેલા વાલ્‍વ અંગે કંપનીએ દાખવેલી નિષ્‍કાળજીને લઈ ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે. એસિડના ફેલાવા બાદ ધુવાડા સાથે તિવ્ર વાસ આવતા કામદારોના નાક ચચરાતા રહેલા એસિડ લીકેજની માત્રા એટલી બધી હતી કે બહાર ગટર લાઈનમાં પણ એસિડ વહ્યો હતો. ઢોળાયેલ એસિડ ઉપર કંપની સંચાલકો ચુનો નાખી તેની જલદતા સામાન્‍ય કરી હતી. બનાવમાં કોઈ જાનહાની કે ગુંગળામણની ઘટના બની ન હતી. બનાવ આકસ્‍મિક હોવાનું અનુમાન લગાડવામાં આવ્‍યું હતું. ઘટના બાદ જી.પી.સી.એ વિઝીટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્‍થાનિકોમાં ભભૂકેલો રોષ

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment