April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: નવસારીની સયાજી વૈભવ લાઈબ્રેરીમાં દર શનિવારે મને ગમતું પુસ્‍તક વાર્તાલાપ યોજાય છે. જેમાં મહિનાના પ્રથમ શનિવારે યુવા વાર્તાલાપ યોજાય છે. જેમાં 1લી જૂન શનિવારે સાંજે 6 વાગે હર્ષા ઘોઘારીએ વાર્તાલાપ કર્યો હતો. વર્લ્‍ડ બેસ્‍ટ સેલર પુસ્‍તક “Deep Work”ના લેખક કાલ ન્‍યૂપોર્ટ છે. જેમણે અત્‍યાર સુધી 7 પુસ્‍તકો લખ્‍યા છે જેમાંથી ઘણા પુસ્‍તકો ન્‍યૂયોર્ક ટાઈમ્‍સની બેસ્‍ટ સેલર યાદીમાં સામેલ છે. યુવા વાર્તાલાપમાં 50થી વધુ શ્રોતાગણો હાજર રહ્યા હતા. યુવા વાર્તાલાપના પ્રોજેક્‍ટ કન્‍વીનર દીપકભાઈ પરીખ તેમજ માનસી મહેતા દ્વારા હર્ષા ઘોઘારીનો પરિચય આપવામાં આવ્‍યો હતો. જ્‍યારે આરતીબેન લુહાર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. સયાજી લાઈબ્રેરીના પ્રમુખ પ્રશાંત પારેખ અને મંત્રી માધવી શાહે સૌ પુસ્‍તકપ્રેમીઓનો આભાર માન્‍યો હતો.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

Leave a Comment