September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍કૂલ કોલેજ તથા સામાજિક સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ, દ્વારા પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણને બચાવવા માટે વધુવૃક્ષો વાવોની નેમ સાથે દરેક વિદ્યાર્થીઓ એક એક છોડ રોપી તેનો ઉછેર કરે જેમાં પરિવાર પણ સહયોગ આપે અને દરેક નાગરિક પર્યાવરણ પ્રત્‍યે જાગૃત બને એ ઉદ્દેશ્‍યને લઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્‍સાહભેર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવી હતી.
હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ જે આજના યુગના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી હુલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જો પર્યાવરણ માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું મુશ્‍કેલ થઈ પડશે તેના માટે લોકજાગૃતિની સાથે દરેક નાગરિક પર્યાવરણ જાગૃતતાના કાર્યમાં સહભાગી બને સાથે જ વિદ્યાર્થીઓ પણ જાગૃત થાય તેવા ઉદ્દેશ્‍યથી શાળાના લગભગ 90 જેટલા બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના ચિત્રો અને સૂત્રો વગેરે પણ બનાવવામાં આવ્‍યા હતા. જે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષક ગણો અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે જોગવાડ થી કાંકરીયા માર્ગ પર કારમાંથી દારૂ સાથે 3ની કરેલી ધરપકડ : રૂા.9.70 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment