March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પ્રિમાઈસીસમાં આજરોજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના પ્રાદેશિક અધિકારીશ્રી એ. ઓ. ત્રિવેદી અને એસઆઈએના અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક અને સંચાલક શ્રી નીતિનભાઈ ઓઝા અને શ્રી રાજેશભાઈ લાડના સંચાલન હેઠળ આયોજિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના કાર્યક્રમમાં એસઆઇએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, એડવાઈઝર કમિટીના ચેરમેન શ્રી શિરીષભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી શ્રી સમીમભાઈ રિઝવી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે કે રાય, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી રૂવાબઅલી ખાન, શ્રી કિર્તીભાઈ રાય સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment