July 26, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પ્રિમાઈસીસમાં આજરોજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના પ્રાદેશિક અધિકારીશ્રી એ. ઓ. ત્રિવેદી અને એસઆઈએના અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક અને સંચાલક શ્રી નીતિનભાઈ ઓઝા અને શ્રી રાજેશભાઈ લાડના સંચાલન હેઠળ આયોજિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના કાર્યક્રમમાં એસઆઇએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, એડવાઈઝર કમિટીના ચેરમેન શ્રી શિરીષભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી શ્રી સમીમભાઈ રિઝવી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે કે રાય, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી રૂવાબઅલી ખાન, શ્રી કિર્તીભાઈ રાય સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

પારડીના રેંટલાવ ખાતે ભરબપોરે આશરે બે લાખ રૂપિયાની ચોરી: અજાણ્‍યા બે ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment