(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત ઈબુરોન લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પ્રિમાઈસીસમાં આજરોજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના પ્રાદેશિક અધિકારીશ્રી એ. ઓ. ત્રિવેદી અને એસઆઈએના અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઈબુરોન લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક અને સંચાલક શ્રી નીતિનભાઈ ઓઝા અને શ્રી રાજેશભાઈ લાડના સંચાલન હેઠળ આયોજિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના કાર્યક્રમમાં એસઆઇએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, એડવાઈઝર કમિટીના ચેરમેન શ્રી શિરીષભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી શ્રી સમીમભાઈ રિઝવી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે કે રાય, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી રૂવાબઅલી ખાન, શ્રી કિર્તીભાઈ રાય સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.