Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

સંઘપ્રદેશના નિરંતર વિકાસ માટે પ્રશાસકશ્રીના અંગત સંબંધોનો લાભ પ્રદેશને મળતો રહેવાની ધારણાં

દેશના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સહિત અન્‍ય કેન્‍દ્રિય મંત્રીઓ સાથે પ્રશાસકશ્રીએ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે દિલ્‍હી ખાતે પોતાની મુલાકાત દરમિયાન વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે આત્‍મિય મુલાકાત કરી પ્રદેશના મહત્‍વના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દેશના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી કેટલીક અગત્‍યની બાબતોની ચર્ચા-વિચારણાં કરી હતી. તેમણે નવનિયુક્‍ત રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે પણ વિચારોની આપ-લે કરી હતી. આ કડીમાં કેન્‍દ્રિય મંત્રી શ્રી ધર્મેન્‍દ્ર પ્રધાન, શ્રી સર્વાનંદ સોનોવાલ, શ્રી ગીરીરાજ સિંઘ તથા શ્રી જી.કિશન રેડ્ડી સાથે પણ મુલાકાત કરી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકેના કાર્યકાળ દરમિયાન શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના વરિષ્‍ઠમંત્રીઓ સાથેના આત્‍મિય સંબંધોનો લાભ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી વિકાસ માટે અવિરત મળતો રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિરંતર વિકાસ માટે પ્રશાસકશ્રીના અંગત સંબંધોનો લાભ પ્રદેશને મળતો રહેશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

vartmanpravah

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

Leave a Comment