Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામ ખાતે ‘‘આપણો તાલુકો બાગાયત તાલુકો” કાર્યક્રમ હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા રોણવેલ ખાતે નાયબ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, વલસાડ દ્વારા 77 જેટલા ખેડૂતોને અને મોટાવાઘછીપા ખાતે મદદનીશ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, પારડી દ્વારા 95 જેટલા ખેડૂતોને ગુજરાત રાજ્‍ય બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્‍યું હતું.
રાજ્‍ય કક્ષાએથી બાગાયત નિયામક, ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં ઓનલાઈન માધ્‍યમથી હાજર રહી બાગાયત ખાતાના નવીન અભિગમ ‘‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કાર્યક્રમ અંતર્ગતખેડૂતો વિવિધ પ્રકારના વધુ ફળ ઝાડનું વાવેતર કરે તે માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત તમામ દ્વારા ‘‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ” બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Related posts

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મળતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની કરાયેલી માંગ

vartmanpravah

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

Leave a Comment