April 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ જણાને ફાયર વિભાગે ફટકારેલી નોટિસ સાથે એક સપ્તાહમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ પાલિકા ફાયર વિભાગ દ્વારા આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ સ્‍થળો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારી એક સપ્તાહની અંદર ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.
તાજેતરમાં રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી આગની હોનારત બાદ સમગ્ર રાજ્‍યમાંઆગ સલામતીના સુવિધા ઉપલબ્‍ધ ન કરનાર બિલ્‍ડીંગો અને જાહેર સ્‍થળો સામે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમરગામ પાલિકા ફાયર વિભાગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બિલ્‍ડીંગો, એપાર્ટમેન્‍ટો, સ્‍કૂલ, હોસ્‍પિટલ, ટયુશન ક્‍લાસીસ હોટલો તથા પબ્‍લિક અવરજવર વાલા ભરચક વિસ્‍તારમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્‍ધ છે કે નહીં તેને ચકાસણી કરી રિપોર્ટ રીઝનલ ફાયર ઓફિસર સુરતને મોકલવામાં આવ્‍યો હતો.
તપાસની કાર્યવાહી બાદ ઉમરગામ નગરપાલિકાના ફાયર વિભાગે ઉમરગામ શહેરમાં જાણીતી ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, બિલ્‍ડીંગ તથા ટયુશન ક્‍લાસીસ મળીને આઠ જણાને નોટિસ ફટકારી છે. અને ફાયર સેફટીની સુવિધા તાત્‍કાલિક એક સપ્તાહમાં ઉપલબ્‍ધ કરાવા જણાવ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

Leave a Comment