Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ જણાને ફાયર વિભાગે ફટકારેલી નોટિસ સાથે એક સપ્તાહમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ પાલિકા ફાયર વિભાગ દ્વારા આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ સ્‍થળો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારી એક સપ્તાહની અંદર ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.
તાજેતરમાં રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી આગની હોનારત બાદ સમગ્ર રાજ્‍યમાંઆગ સલામતીના સુવિધા ઉપલબ્‍ધ ન કરનાર બિલ્‍ડીંગો અને જાહેર સ્‍થળો સામે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમરગામ પાલિકા ફાયર વિભાગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બિલ્‍ડીંગો, એપાર્ટમેન્‍ટો, સ્‍કૂલ, હોસ્‍પિટલ, ટયુશન ક્‍લાસીસ હોટલો તથા પબ્‍લિક અવરજવર વાલા ભરચક વિસ્‍તારમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્‍ધ છે કે નહીં તેને ચકાસણી કરી રિપોર્ટ રીઝનલ ફાયર ઓફિસર સુરતને મોકલવામાં આવ્‍યો હતો.
તપાસની કાર્યવાહી બાદ ઉમરગામ નગરપાલિકાના ફાયર વિભાગે ઉમરગામ શહેરમાં જાણીતી ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, બિલ્‍ડીંગ તથા ટયુશન ક્‍લાસીસ મળીને આઠ જણાને નોટિસ ફટકારી છે. અને ફાયર સેફટીની સુવિધા તાત્‍કાલિક એક સપ્તાહમાં ઉપલબ્‍ધ કરાવા જણાવ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સેવા પખવાડીયુ અંતર્ગત વાપી તાલુકા અને શહેર ભાજપ મહિલા મોરચા તથા ડોક્‍ટર સેલના સંયુક્‍ત ઉપક્રમે દવા વિતરણ તેમજ હિમોગ્‍લોબીન ટેસ્‍ટનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

Leave a Comment