March 4, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ કૉલેજમાં વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવ કૉલેજ, દીવમાં તા.8 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રાચાર્ય શ્રી વિવેકકુમારના માર્ગદર્શન હેઠળ દીવ કૉલેજ અને ગુજરાતીનો અધ્‍યાપક સંઘનાં સંયુક્‍ત ઉપક્રમે વિદ્યાવિસ્‍તાર વ્‍યાખ્‍યાનમાળા’નું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આ વ્‍યાખ્‍યાનમાળા ગુજરાતી વિષયમાં અભ્‍યાસ કરતાં ત્રણ વર્ષનાં અભ્‍યાસક્રમની એક એક કળતિ પર વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં સાચાં સમણાં (પન્નાલાલ પટેલ) પર ડૉ. સુનીલ જાદવે, રાગાધીનમ (સંજુ વાળા) પર કવિ સ્‍વયં સંજુ વાળાએ અને સોમતીર્થ (રઘુવીર ચૌધરી) પર ડૉ. દલપત ચાવડાએ વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું.
ગુજરાતીના તથા સાહિત્‍યમાં રસ ધરાવતા કૉલેજનાં અન્‍ય વિષયનાં વિદ્યાર્થીઓ પણ આ વ્‍યાખ્‍યાનમાળામાં સહર્ષ જોડાયા હતા. વિદ્યાર્થીઓની સાહિત્‍ય રુચિ કેળવાય તથા તેમને ગુજરાતીના અભ્‍યાસુ અને સંનિષ્ઠ વક્‍તાઓનો લાભ મળે તે માટે આ વ્‍યાખ્‍યાનમાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનું સુચારું સંચાલન ગુજરાતીના પ્રાધ્‍યાપક ધરવ બારોટે કર્યું હતુ. અકાદમિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. દિપક સૌંદરવા તથા પ્રા. સમર્થ ઓઝા દ્વારા આ કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપવામાં આવ્‍યો હતો તથા ગુજરાતીના અધ્‍યાપિકા ડૉ. સુશીલા વાઘમશી દ્વારા દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાય, પ્રાચાર્ય શ્રી વિવેકકુમાર, વક્‍તાશ્રીઓ તથા તમામ અધ્‍યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો આભાર માનવામાં આવ્‍યો હતો.
આ વ્‍યાખ્‍યાનમાળાનું આયોજન ડૉ. સુશીલા વાઘમશી દ્વારા કરવામાં આવ્‍યું હતું, જેમાં અકાદમિક સમિતિના અધ્‍યક્ષ ડૉ. દિપક સૌદરવા પ્રા. ધરવ બારોટ, પ્રા. કોકિલા ડાભી, પ્રા. સમર્થ ઓઝા, પ્રા. દેવાંગભાઈ ભટ્ટ તથા શ્રી પ્રશાંત સોલંકીનો સક્રિય સહકાર પ્રાપ્ત થયોહતો.

Related posts

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment