March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ જણાને ફાયર વિભાગે ફટકારેલી નોટિસ સાથે એક સપ્તાહમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ પાલિકા ફાયર વિભાગ દ્વારા આગ સલામતીના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, ટયુશન ક્‍લાસીસ સહિત આઠ સ્‍થળો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારી એક સપ્તાહની અંદર ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે.
તાજેતરમાં રાજકોટ ગેમ ઝોન ખાતે બનેલી આગની હોનારત બાદ સમગ્ર રાજ્‍યમાંઆગ સલામતીના સુવિધા ઉપલબ્‍ધ ન કરનાર બિલ્‍ડીંગો અને જાહેર સ્‍થળો સામે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉમરગામ પાલિકા ફાયર વિભાગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બિલ્‍ડીંગો, એપાર્ટમેન્‍ટો, સ્‍કૂલ, હોસ્‍પિટલ, ટયુશન ક્‍લાસીસ હોટલો તથા પબ્‍લિક અવરજવર વાલા ભરચક વિસ્‍તારમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્‍ધ છે કે નહીં તેને ચકાસણી કરી રિપોર્ટ રીઝનલ ફાયર ઓફિસર સુરતને મોકલવામાં આવ્‍યો હતો.
તપાસની કાર્યવાહી બાદ ઉમરગામ નગરપાલિકાના ફાયર વિભાગે ઉમરગામ શહેરમાં જાણીતી ત્રણ હોસ્‍પિટલ, એક હોટલ, બિલ્‍ડીંગ તથા ટયુશન ક્‍લાસીસ મળીને આઠ જણાને નોટિસ ફટકારી છે. અને ફાયર સેફટીની સુવિધા તાત્‍કાલિક એક સપ્તાહમાં ઉપલબ્‍ધ કરાવા જણાવ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

આઝાદ ભારતમાં 1951 થી અત્‍યાર સુધીમાં લોકસભાની 17 ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો    

vartmanpravah

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment