March 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલના કહેવાથી બનાવેલ બમ્‍પર :
ગ્રામજનોમાં રોષ, બમ્‍પર તોડવાની તજવીજ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર નજીક દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલ સામે રાતોરાત મહાકાય બમ્‍પર બનાવી દેવામાં આવ્‍યો છે. મંગળવારે સાંજના મારૂતિ વેન બમ્‍પર કુદતા ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુગુમાવતા વેન એક એક્‍ટીવા અને મોટર સાયકલ વચ્‍ચે ટ્રિપલ અકસ્‍મતા સર્જાયો હતો.
વાપી કોપરલી રોડ ઉપર આવેલ દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલ સામે રાતોરાત મહાકાય બમ્‍પર બનાવી દેવામાં આવ્‍યો છે. રાતોરાત બનાવાયેલા બમ્‍પર નિયમબધ્‍ધ નહી હોવાથી અકસ્‍માત સર્જી શકે તેવી સ્‍થિતિ છે અને મંગળવારે જે દહેશત હતી તેવી ઘટના ઘટી હતી. મારૂતિવેન નં.જીજે 15 સીએફ 1321 ના ચાલકે બમ્‍પર ન જોઈ ગાડીના સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી આગળ જતા એક એક્‍ટીવા અને મોટરસાયકલ સાથે વેન ભટકાતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બન્ને ટુવ્‍હિલર ચાલકો ઘાયલ થયા હતા. તેમને વાપી હરિયા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્‍માત બાદ ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્‍યો હતો. તેમના કહેવા મુજબ દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલે આ બમ્‍પર બનાવી દીધો છે. જે નિયમબધ્‍ધ પણ નથી તેથી તુરત બમ્‍પર તોડવાની કામગીરી ગ્રામજનોએ હાથ ધરી હતી. ભવિષ્‍યમાં બમ્‍પરને લઈ વધુ અકસ્‍માત ના સર્જાય તે માટે ગ્રામજનોએ પગલું ભર્યું છે.

Related posts

નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ ચીખલીની સરાહનીય કામગીરી જિલ્લા કલેક્‍ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની મૂકબધિર બહેનને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

રવિવારે દાનહના કરચોંડ ઘાટ ઉપર ખાનગી બસની બ્રેક ફેઈલ થતાં અકસ્‍માતમાં ક્‍લીનરનું ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

Leave a Comment