February 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલના કહેવાથી બનાવેલ બમ્‍પર :
ગ્રામજનોમાં રોષ, બમ્‍પર તોડવાની તજવીજ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર નજીક દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલ સામે રાતોરાત મહાકાય બમ્‍પર બનાવી દેવામાં આવ્‍યો છે. મંગળવારે સાંજના મારૂતિ વેન બમ્‍પર કુદતા ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુગુમાવતા વેન એક એક્‍ટીવા અને મોટર સાયકલ વચ્‍ચે ટ્રિપલ અકસ્‍મતા સર્જાયો હતો.
વાપી કોપરલી રોડ ઉપર આવેલ દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલ સામે રાતોરાત મહાકાય બમ્‍પર બનાવી દેવામાં આવ્‍યો છે. રાતોરાત બનાવાયેલા બમ્‍પર નિયમબધ્‍ધ નહી હોવાથી અકસ્‍માત સર્જી શકે તેવી સ્‍થિતિ છે અને મંગળવારે જે દહેશત હતી તેવી ઘટના ઘટી હતી. મારૂતિવેન નં.જીજે 15 સીએફ 1321 ના ચાલકે બમ્‍પર ન જોઈ ગાડીના સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી આગળ જતા એક એક્‍ટીવા અને મોટરસાયકલ સાથે વેન ભટકાતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બન્ને ટુવ્‍હિલર ચાલકો ઘાયલ થયા હતા. તેમને વાપી હરિયા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્‍માત બાદ ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્‍યો હતો. તેમના કહેવા મુજબ દિલ્‍હી પલ્‍બીક સ્‍કૂલે આ બમ્‍પર બનાવી દીધો છે. જે નિયમબધ્‍ધ પણ નથી તેથી તુરત બમ્‍પર તોડવાની કામગીરી ગ્રામજનોએ હાથ ધરી હતી. ભવિષ્‍યમાં બમ્‍પરને લઈ વધુ અકસ્‍માત ના સર્જાય તે માટે ગ્રામજનોએ પગલું ભર્યું છે.

Related posts

મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ વિમેન્‍સ નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં વાપી એફસી ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

Leave a Comment