August 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ દર્શન સોસાયટી ખાતે રહેતા નિર્મલસિંહ કરમસિંહ મનિયાની (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી)(ઉ.વ-77) ને હાઇડ્રોસિલનું ઓપરેશન થોડા મહિના અગાઉ કરેલ હોય અને બ્‍લડ પ્રેશરની દવા પણ ચાલુ હોય જે બીમારીથી કંટાળી જઈ બુધવારની સવારના સમયે ઘરના ધાબા ઉપર ચઢી બીજા માળેથી પડતું મુકતા નીચે પડતા નાક તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ગુરવીન્‍દ્રરસિંહ નિર્મલસિંહ મનિયાની (ઉ.વ-46) (હાલ રહે.નિલંકઠ દર્શન સોસાયટી મજીગામ તા.ચીખલી) (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઇ-એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Related posts

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

અતુલ બિનવાડા ગામે પેટ્રોલ પમ્‍પ પાસે બે દિપડા હરતા ફરતા સીસીટીવી કેમેરામાં દેખાયા

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

Leave a Comment