September 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ દર્શન સોસાયટી ખાતે રહેતા નિર્મલસિંહ કરમસિંહ મનિયાની (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી)(ઉ.વ-77) ને હાઇડ્રોસિલનું ઓપરેશન થોડા મહિના અગાઉ કરેલ હોય અને બ્‍લડ પ્રેશરની દવા પણ ચાલુ હોય જે બીમારીથી કંટાળી જઈ બુધવારની સવારના સમયે ઘરના ધાબા ઉપર ચઢી બીજા માળેથી પડતું મુકતા નીચે પડતા નાક તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ગુરવીન્‍દ્રરસિંહ નિર્મલસિંહ મનિયાની (ઉ.વ-46) (હાલ રહે.નિલંકઠ દર્શન સોસાયટી મજીગામ તા.ચીખલી) (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઇ-એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Related posts

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

દીવ સેન્‍ટ પોલ ચર્ચ ખાતે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્‍તી સમુદાયના લોકો દ્વારા પ્રોસેશન તથા પ્રાર્થના કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment