Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના મજીગામ નીલકંઠ દર્શન સોસાયટી ખાતે રહેતા નિર્મલસિંહ કરમસિંહ મનિયાની (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી)(ઉ.વ-77) ને હાઇડ્રોસિલનું ઓપરેશન થોડા મહિના અગાઉ કરેલ હોય અને બ્‍લડ પ્રેશરની દવા પણ ચાલુ હોય જે બીમારીથી કંટાળી જઈ બુધવારની સવારના સમયે ઘરના ધાબા ઉપર ચઢી બીજા માળેથી પડતું મુકતા નીચે પડતા નાક તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થતા સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર ગુરવીન્‍દ્રરસિંહ નિર્મલસિંહ મનિયાની (ઉ.વ-46) (હાલ રહે.નિલંકઠ દર્શન સોસાયટી મજીગામ તા.ચીખલી) (મૂળ રહે.મજીગામ માહ્યાવંશી મહોલ્લો તા.ચીખલી) એ કરતા વધુ તપાસ પીએસઆઇ-એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Related posts

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી-વલસાડમાં સી.સી.ટી.વી. કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે રીક્ષામાં રહી ગયેલ લેપટોપ અને રસ્‍તામાં પડેલ પાકીટ મેળવી આપ્‍યું

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

Leave a Comment