April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

દમણ, તા.28:
મોટી દમણની જૂની દીવાદાંડીના કાંગરા ખરી ચૂકયા હતાં, કોઈની પણ તેના ઉપર નજર નહીં હતી તેમાં સંઘપ્રદેશ પ્રશાસનની ફૂંકેલા નવા પ્રાણથી આજે જર્જરીત અને રદબાતલ થયેલ જૂની દીવાદાંડીની જગ્‍યા નવપલ્લવિત બની છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત ઓટ્‍મન મેળા (શરદ મેળા)એ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મનમોહી લીધું છે.
24 મી થી શરૂ થયેલા ઓટ્‍મન(શરદ) મેળાનો આજે અંતિમ દિવસ હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં હજ્‍જારો લોકોએ લાભ લીધો છે અને આજે રજાના રવિવારના દિવસે ખાસ કરીને દમણના સ્‍થાનિકો પોતાના પરિવાર સાથે ઉમટી પડયા હતાં. અહીં ઘણાએ ખરીદદારી કરી તો કેટલાકે ખાણીપીણીની પણ મજા માણી અને કેટલાકે પોતાના પોર્ટટ્રેઈટ પણ બનાવ્‍યો. અને લગભગ દરેકે સેલ્‍ફી પાડી અને મોબાઈલના કેમેરામાં સહપરિવાર સાથે જૂની દીવાદાંડીમાં આવેલ વસંતના નજારાને પણ કેદ કર્યો.
પોર્ટુગીઝ સલ્‍તનતના સમયથી આ મોટી દમણની જૂની દીવાદાંડી અડીખમ છે. ટેકનોલોજીના વિકાસ સાથે બાજુમાં નવી દીવાદાંડી ઉભી થતાં ઊંડા દરિયામાં મચ્‍છીમારી કરતા માછીમારો માટે બંદર હોવાનું એક માત્ર દિશાસૂચક રહેલી આ દીવાદાંડી આમ તો અપ્રસ્‍તુત બનીચૂકી હતી અને આજુબાજુની જગ્‍યા પણ વેરાન હતી અને ઠેરઠેર ઘાસચારો ઊગી નીકળતા અહીં આવતા લોકો ડરે એવી સ્‍થિતિ હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખ નજર એના પર પડતા આજે મોટી દમણ લાઈટ હાઉસની શકલ અને સૂરત બદલાઈ ચૂકી છે.

Related posts

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

Leave a Comment