March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

મૃતકની ઓળખ રામેશ્વર મિશ્રાની હતી : ત્રણ માસથી નોકરી છૂટી જતા સ્‍ટ્રેસ અનુભવતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નજીક આવેલ મોરાઈ ગામે ગુડ્‍ઝ ટ્રેનના ઓવરબ્રિજઉપરથી શનિવારે મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવાન નીચે પટકાતા ઘટના સ્‍થળે જ મોતને ભેટયો હતો. પોલીસે મૃતકની ઓળખ કરતા અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની થઈ હતી.
અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની ત્રણ મહિનાથી નોકરી છૂટી ગઈ હોવાથી ટેન્‍શનમાં રહેતો હતો. શનિવારે મોરાઈ રેલવે બ્રીજ ઉપરથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા એકઠા થયેલ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મૃતકના કપડામાં તપાસ કરતા આધારકાર્ડ મળી આવતા મૃતક રામેશ્વર મિશ્રાની ઓળખ થઈ. તેના ખિસ્‍સામાંથી રોકડા રૂપિયા 4 હજાર મળી આવ્‍યા હતા. શંકાસ્‍પદ બનેલી ઘટનામાં લોકો એવી પણ કરતા હતા કે હજુ આ બ્રિજ વાહન વહેવાર માટે ખુલ્લો મુકાયો નથી ત્‍યારે યુવક ત્‍યાં પહોંચ્‍યો કેવી રીતે. જો કે આપઘાતનું સાચું કારણ પોલીસ તપાસમાં બહાર આવી શકશે.

Related posts

નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્‍પ

vartmanpravah

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment