Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્‍વાતંત્રય દિનની કરાયેલી ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16
પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી અનદુસુરેશ ગોવિંદ જ્‍યારે પારડી નગરપાલિકા ખાતે પ્રમુખ હસુભાઈ રાઠોડ દ્વારા ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર પારડી વિસ્‍તારમાં ખૂબ જ ધામધુમથી 76મા સ્‍વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. પારડી મામલતદાર ખાતે મદદનીશ કલેકટર અને પારડીના પ્રાંત અધિકારી અનંત સુરેશ ગોવિંદના હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતું. વંદન બાદ અનેક ક્ષેત્રે સફળતા મેળવનારાઓને એવોર્ડ આપી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રાંત અધિકારીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, આપણે આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓ અને સ્‍વતંત્રતા સેનાનીઓને આ પ્રસંગે યાદ કરી તેમને નમન કરવા જોઈએ તેઓ દ્વારા જ આપણને બ્રિટીશ રાજથી આઝાદી અપાવી હતી. આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તેમણે હર ધર તિરંગા થકી દેશભક્‍તિ વધશે હોવાનું જણાવ્‍યું હતું. આજે સમગ્ર વિશ્વ પણ એકતાના પ્રતીક તરીકે ભારતને જુએ છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, દેશ સેવાના અનેક વિકલ્‍પ છે વીજળી બચાવો, પાણી બચાવો, વૃશ્રો વાવો, અન્નનો બગાડ કરવો નહીં વિગેરે થકી પણ દેશ સેવા થઈ શકે છે.
મામલતદાર ખાતે યોજાયેલા ધ્‍વજવંદન કાર્યક્રમમાં અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ મામલતદાર આર.આર. ચૌધરી, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, અલી અન્‍સારી,મામલતદાર કચેરીનો સ્‍ટાફ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, શિક્ષકો, બાળકો અને મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
એવી જ રીતે પારડી નગરપાલિકા ખાતે પણ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડે ધ્‍વજવંદન કર્યું હતું. આ ધ્‍વજવંદન કાર્યક્રમમાં પારડીના પ્રબુદ્ધ નાગરિકો નગરપાલિકાના સદસ્‍યો કર્મચારીઓનો સ્‍ટાફ તથા મોટી સંખ્‍યામાં નગરજનો આ ધ્‍વજ વંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ નગરના વિકાસના કામો વિશે માહિતી નગરજનોને આપી સૌને આજના સ્‍વતંત્ર દિનની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

2000 વિદ્યાર્થીનો વલસાડ રોટરી કલબે સર્વે કરી 63 શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડથી સન્માનિત કર્યા

vartmanpravah

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

Leave a Comment