April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: તા.22/06/2024 ના દિને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ.કરનરાજ વાઘેલાની અધ્‍યક્ષ સ્‍થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જ્‍યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે 3 સીટ આવતા લોકો દંડનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાઈસન્‍સ કાઢી આપવા, વિલસન હિલ ખાતે આવતા હાલે ફરવા આવતાફુલસ્‍પીડમાં વાહન હંકારવાના કારણે નિર્દોષ લોકો અકસ્‍માતનો ભોગ બનતા હોય છે એની સામે કડક કાર્યવાહી, બોપી ગામે ચેકપોસ્‍ટ મુકવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
સાથે જિલ્લા પોલીસ વડાશ્રી દુઃખ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્‍તારમાં ઓછી ઉંમરમાં લગ્ન કરી દેવાના કારણે ઓછી ઉંમરમાં માતા બનવાના કારણે 266 દીકરીઓએ જીવ ગુમાવ્‍યો છે એની એ બાબતે વિષેશ ધ્‍યાન દોરવાનું સુચન કર્યું હતું. સાથે આદિવાસી વિસ્‍તારમાં કોલેક્‍ટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ જેવા અધિકારી બને એના માટે કલાસીસ ચાલુ કરવાની વાત કરી, અને બીજા ટ્રાફિક કે અન્‍ય બાબતે જરૂરી સુચનો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્‍યા હતા.
જ્‍યાં ડીવાયએસપીશ્રી વર્મા સાહેબ, સીપીઆઈ શ્રી વસાવા સાહેબ, ધરમપુર પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ, નાનાપોંઢા પીએસઆઈ શ્રી સગર સાહેબ, અન્‍ય પીએસઆઈશ્રીઓ અને ધરમપુર તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.

Related posts

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment