January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ભાજપ ટીમે સાંસદ ધવલ પટેલના નેતૃત્‍વમાં ગણેશ મહોત્‍સવ માટે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે અને જિલ્લા ભાજપની ટીમે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને આવનાર શ્રી ગણેશ મહોત્‍સવ દરમ્‍યાન શ્રીજીની મુર્તિની ઊંચાઈ, ડી.જે.ના સમય તેમજ શાંતિ, સલામતી બાબતે રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી.
ગૃહમંત્રીશ્રીએ શ્રી ગણેશ મહોત્‍સવ હર્ષોઉલ્લાસ, ધામધૂમથી, ભક્‍તિસભર માહોલમાં ઉજવાઈ એ માટે બાહેંધરી આપી ત્‍વરિત સંબંધીત તંત્રને જરૂરી સૂચનો કરવા ખાત્રી આપી.
વલસાડ લોકસભાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા ગત 19 જૂનના રોજ વલસાડના ભાગડવાડા સ્‍થિત શ્રી અંબા માતાજી મંદિર ખાતે વલસાડના શ્રી ગણેશ મહોત્‍સવના આયોજક મંડળો સાથે બેઠક કરી હતી. જેમાં શ્રીજીની મૂર્તિની ઊંચાઈ અને ડી.જે. બાબતે આયોજકો દ્વારા સર્જાયેલ મથાગાંઠ અંગે સાંસદ શ્રી ધવલભાઈ પટેલને રજૂઆત કરી હતી. જે અંગે સાંસદશ્રી દ્વારા આ અંગે જિલ્લા ભાજપ સંગઠન સાથે જરૂરી ચર્ચાવિચારણા કરી ગુજરાત સરકારના ગૃહ રાજ્‍ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળી યોગ્‍ય નિકાલ લાવવાની ખાત્રી આપી હતી. જે અન્‍વયે વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે અને જિલ્લા ભાજપની ટીમ દ્વારા ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી આવનાર શ્રી ગણેશ મહોત્‍સવ હર્ષોઉલ્લાસ, ધામધૂમથી ઉજવાઈ અને શાંતિ સલામતી પણ જળવાઈ રહે એ અંગે સંબંધીત તંત્રને જરૂરી સુચનો કરવા વિનંતી કરી હતી. જે બાબતે ગૃહરાજ્‍ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આ અંગે બાહેંધરી આપી શ્રીજીનો મહોત્‍સવ ધામધુમ સાથે ઉજવાઈ તે અંગે સંબંધિત તંત્રને જરૂરી સૂચનો કરવાની ખાત્રી આપી છે.

Related posts

વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

vartmanpravah

Leave a Comment