June 23, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી સી. આર.પાટીલજી, સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરજી, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની સુચના અને માર્ગદર્શન મુજબ, આજરોજ વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદમુખર્જીના બલિદાન દિવસ પર એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાષ્‍ટ્રીય એકતા અને અખંડિતાના પર્યાય, મહાન શિક્ષાવિદ પ્રખર રાષ્‍ટ્રવાદી વિચારક અને ભારતીય જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં વલસાડ શહેર સંગઠન અને તાલુકા સંગઠન દ્વારા જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલ્‍મ” ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ તબક્કે વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નિખિલભાઈ ચોકસી, વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ, મહામંત્રી શ્રીમતી અલકાબેન દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહીલભાઈ દેસાઈ, વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણમાં 2004ના 3જી ઓગસ્‍ટે આવેલા ભયાનક પૂરથી સત્તાના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment