March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: તા.22/06/2024 ના દિને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ.કરનરાજ વાઘેલાની અધ્‍યક્ષ સ્‍થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જ્‍યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે 3 સીટ આવતા લોકો દંડનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાઈસન્‍સ કાઢી આપવા, વિલસન હિલ ખાતે આવતા હાલે ફરવા આવતાફુલસ્‍પીડમાં વાહન હંકારવાના કારણે નિર્દોષ લોકો અકસ્‍માતનો ભોગ બનતા હોય છે એની સામે કડક કાર્યવાહી, બોપી ગામે ચેકપોસ્‍ટ મુકવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
સાથે જિલ્લા પોલીસ વડાશ્રી દુઃખ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્‍તારમાં ઓછી ઉંમરમાં લગ્ન કરી દેવાના કારણે ઓછી ઉંમરમાં માતા બનવાના કારણે 266 દીકરીઓએ જીવ ગુમાવ્‍યો છે એની એ બાબતે વિષેશ ધ્‍યાન દોરવાનું સુચન કર્યું હતું. સાથે આદિવાસી વિસ્‍તારમાં કોલેક્‍ટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ જેવા અધિકારી બને એના માટે કલાસીસ ચાલુ કરવાની વાત કરી, અને બીજા ટ્રાફિક કે અન્‍ય બાબતે જરૂરી સુચનો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્‍યા હતા.
જ્‍યાં ડીવાયએસપીશ્રી વર્મા સાહેબ, સીપીઆઈ શ્રી વસાવા સાહેબ, ધરમપુર પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ, નાનાપોંઢા પીએસઆઈ શ્રી સગર સાહેબ, અન્‍ય પીએસઆઈશ્રીઓ અને ધરમપુર તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.

Related posts

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

વાપી ડુંગરા તળાવની બાજુમાં લગ્ન મંડળના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લગ્નમાં ફટાકડા ફોડતા લાગેલી આગ

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

Leave a Comment