October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: તા.22/06/2024 ના દિને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ.કરનરાજ વાઘેલાની અધ્‍યક્ષ સ્‍થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જ્‍યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે 3 સીટ આવતા લોકો દંડનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાઈસન્‍સ કાઢી આપવા, વિલસન હિલ ખાતે આવતા હાલે ફરવા આવતાફુલસ્‍પીડમાં વાહન હંકારવાના કારણે નિર્દોષ લોકો અકસ્‍માતનો ભોગ બનતા હોય છે એની સામે કડક કાર્યવાહી, બોપી ગામે ચેકપોસ્‍ટ મુકવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
સાથે જિલ્લા પોલીસ વડાશ્રી દુઃખ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્‍તારમાં ઓછી ઉંમરમાં લગ્ન કરી દેવાના કારણે ઓછી ઉંમરમાં માતા બનવાના કારણે 266 દીકરીઓએ જીવ ગુમાવ્‍યો છે એની એ બાબતે વિષેશ ધ્‍યાન દોરવાનું સુચન કર્યું હતું. સાથે આદિવાસી વિસ્‍તારમાં કોલેક્‍ટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ જેવા અધિકારી બને એના માટે કલાસીસ ચાલુ કરવાની વાત કરી, અને બીજા ટ્રાફિક કે અન્‍ય બાબતે જરૂરી સુચનો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્‍યા હતા.
જ્‍યાં ડીવાયએસપીશ્રી વર્મા સાહેબ, સીપીઆઈ શ્રી વસાવા સાહેબ, ધરમપુર પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ, નાનાપોંઢા પીએસઆઈ શ્રી સગર સાહેબ, અન્‍ય પીએસઆઈશ્રીઓ અને ધરમપુર તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.

Related posts

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

Leave a Comment