July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં 1લી જુલાઈનાં 2024નાં રોજ સોમવારે રાષ્‍ટ્રીય ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે આપણાં જીવનમાં અને સમાજમાં ડૉક્‍ટરોનું યોગદાનને સન્‍માન આપવા માટે 1લી જુલાઈનાં રોજ ડૉક્‍ટર્સ-ડે તરીકે મનાવવાં આવે છે હોવાનું નાના બાળકોને શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.
આજનાં ડૉક્‍ટર્સ-ડે ઉજવણી નિમિત્તે વિશ્વભરના ડૉકટરોની ભાવનાને યાદ કરી દર્દીઓની સુખાકારી સુનિヘતિ કરવા માટે દિવસ-રાત ડૉકટરો કામ કરે છે. એ માટે એમના પ્રતિ કળતજ્ઞતાના પ્રતીક રૂપે પ્રિ-સ્‍કૂલ સલવાવનાં તમામ વિદ્યાર્થીઓએ તબીબી ક્ષેત્રને લગતા વિવિધ રીતે વિવિધ પરિધાનોને ધારણ કરી ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરી હતી. જેમાં નાના ભૂલકાઓ ડૉકટર, નર્સ, કમ્‍પાઉન્‍ડર, દર્દી બની હોસ્‍પિટલમાં ડૉકટરો અને એમના સ્‍ટાફદ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને વિવિધ ભૂમિકા ભજવી જીવંત સર્જનાત્‍મકતા રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓની સર્જનાત્‍મકતા અને કલ્‍પનાશક્‍તિને ઉત્તેજીત કરવા માટે ભૂમિકા ભજવવી જરૂરી છે અને તે સંચાર, સહાનુભૂતિ અને સમાજીકરણ જેવી કુશળતા વિકસાવવામાં પણ મદદ કરે છે. આ બાબતોને ધ્‍યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ‘ડોક્‍ટરની ભૂમિકા’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ડોકટર દિવસની ઉજવણીમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ડૉક્‍ટર-નર્સ, દર્દીની ભૂમિકા ભજવી હતી અને રોજીંદા જીવનમાં ડૉક્‍ટર્સની કીટ, સ્‍વસ્‍થ આદતો, વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા વગેરેનો સંદેશો આપ્‍યો હતો.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

53 મહિનાની આકરી તપસ્‍યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્‍લાનર પી.પી.પરમારનું સસ્‍પેન્‍શન પરત ખેંચવાનો કરાયો આદેશ

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment