July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઈન્‍ટેલીજન્‍સ મારફતે તપાસ કરાવતા સફળતા મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: રાજ્‍યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશકશ્રી ડૉ.રાજકુમાર પાંડીયન સી.આઇ.ડી.ક્રાઇમ, ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીર સિંહ, સુરત વિભાગની સુચના અન્‍વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્‍ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્‍યક્‍તિઓને શોધી કાઢવા અંગેની કામગીરી માટે બે વર્ષથી ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્‍યક્‍તિ (પુખ્‍તવયના)કિસ્‍સાઓમાં જે તે સમયના કાગળો તથા રજિસ્‍ટરો ચેક કરી ફરીયાદી તથા સાહેદોનો સંપર્ક કર્યો હતો સાથે સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
ઘણાં ખરા કિસ્‍સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્‍યકિતઓ (પુખ્‍તવયના) ગુજરાત રાજ્‍ય બહાર રહેતા હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. આ તમામ કિસ્‍સાઓમાં જિલ્લાના પોલીસ અધિકારીઓને જે તે રાજ્‍યમાં જે તે જિલ્લાના સરપંચો, ગામના સભ્‍યો, સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ મારફતે તપાસ કરાવતા તમામ ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્‍યક્‍તિઓની જાહેરાત/ફરીયાદ આપનારનો સંપર્ક કરી તેના આધારે અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજ્‍યોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્‍યક્‍તિઓને શોધી કાઢવા સધન અભિયાન ચાલુ રાખવામાં આવ્‍યુ હતું. આ અભિયાનમાં મે અને જૂન – 2024 એમ ફકત બે જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલા બાળક/બાળકીઓ કુલ-32 તથાસ્ત્રી-પુરૂષ કુલ-47 મળી કુલ- 79ને શોધી કાઢવામાં જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. જે બદલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

Leave a Comment