April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

તંત્ર ફરક્‍યું જ નહીં, સ્‍થાનિકોએ બે કલાકનો પુરુષાર્થ કરી વૃક્ષ હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી શામળાજી હાઈવે નં.56 ઉપર નાનાપોંઢા બાલચોંડી ગામ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ કલાક હાઈવેની અવર જવર રહેતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
વાપી શામળાજી હાઈવે નં.56 વ્‍યસ્‍ત હાઈવે છે. વ્‍યારા ભરૂચ તરફથી શામળાજી તરફ જતા હાઈવે ઉપર વાહનોની અવર જવર 24 કલાક રહેતી હોય છે. આજે મંગળવારે સવારે નાનાપોંઢા નજીક બાલચોંડી ગામ પાસે નિલગીરીનું તોતિંગ વૃક્ષ વરસાદના કારણે ધરાશાયી થયું હતું. ઝાડ ઉપર તોતિંગ વૃક્ષ આડુ પડી જતા બન્ને તરફથી વાહનોની અવર જવર થંભી જવા પામી હતી. પરિણામે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કલાકો સમય વિતતો રહ્યો પરંતુ વહિવટી તંત્રનું કોઈ ફરક્‍યું નહોતું તેથી ગ્રામજનો એકઠા થઈ સમસ્‍યાને હલ કરવાનો પ્રયત્‍ન શરૂ કર્યો હતો. ઈલેક્‍ટ્રીક કટર અને જેસીબી લાવીને બે કલાક બાદ વૃક્ષને કાપીને દૂર કર્યું હતું. ત્‍યારબાદ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થયો હતો. ત્રણેય કલાક બન્ને તરફના ટ્રાફિકને લઈ હજારોવાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દ્વારા રાષ્‍ટ્રીય કક્ષાનો આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની મિટિંગ યોજાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment