Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: 15 આવેદનોનો સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો

પોલીસ, જીઈબી, પાલિકા, પીડબલ્‍યુડી, મામલતદાર કચેરીઓના ઉચ્‍ચ અધિકારી ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારના જમા થયેલ આવેદન અરજીઓની ચર્ચા હાથ ધરાઈ હતી. જે પૈકી 15 જેટલા આવેદનોનો સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો હતો.
વાપી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર વિજય ગઢવીની અધ્‍યક્ષતામાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ, જીઈબી, પાલિકા, સીટી સર્વે, પીડબલ્‍યુડી, મામલતદાર જેવા સરકારી વિભાગોના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી મળેલ ફરીયાદો-અરજીઓની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે તે વિભાગને લગતી મળેલ અરજીઓનો સ્‍થળ ઉપર નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મળેલ અરજીઓ પૈકી 15 અરજીઓનો સકારાત્‍મક ઉકેલ લાવવામાં આવ્‍યો હતો. વાપી યુવા કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકુરે પાલિકાના વિવિધ વોર્ડની બંધ સ્‍ટ્રીટ લાઈટોનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમાં પાલિકાએ યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. વિભાગીય પોલીસ વડા બી.એન. દવે સહિત ઉચ્‍ચ અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

Leave a Comment