July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામની જીઆઈડીસીના સેકન્‍ડ ફેસ વિસ્‍તારમાં કાર્યરત એસ.એન. એગ્રોફૂડ કંપનીમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની વિકરાળતા અને તીવ્રતા જોતા કામદારો અને આજુબાજુવિસ્‍તારમાં ભયના વાતાવરણ સાથે દોડધામ મચી જવા પામી હતી.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉમરગામ સેકન્‍ડ ફેસ વિસ્‍તારમાં પ્‍લોટ નં.સી1/174 માં આવેલી ફરસાણ બનાવતી એસ.એન. એગ્રો ફૂડ કંપનીમાં મંગળવારે સવારે સાત વાગ્‍યાના અરસામાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ જીઆઈડીસી ફાયર વિભાગ અને ઉમરગામ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને થતા તાત્‍કાલિક ઘટના સ્‍થળ ઉપર ઘસી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ આગ ઉપર કાબુ મેળવવા સફળ થઈ હતી. આજની ઘટનામાં જાનહાની કે ઈજાગ્રસ્‍ત થવાની ઘટના પ્રકાશમાં આવી નથી. પરંતુ કંપનીમાં રાખેલ ખાદ્ય સામગ્રીનો જથ્‍થો તેમજ રો-મટીરીયલ વગેરે આગની લપેટમાં ખાક થઈ જવા પામી હતી તેમજ મશીનરી સહિતની સામગ્રીને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

ચીખલી તાલુકામાં ડીઝેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે અગલે બરસ આના નાદ સાથે શ્રીજીને વિદાય અપાઈ

vartmanpravah

પાવરગ્રીડે 100 બેડવાળી ગર્લ્‍સ હોસ્‍ટેલ અને ટીચિંગ બ્‍લોકના બાંધકામ માટે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા

vartmanpravah

Leave a Comment